લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રાજકોટ જિલ્લામાં કાળઝાળ ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર | 927 animals fall ill due to the scorching summer heat in Rajkot district

by

Thenewsdk

Updated: 24-05-2026, 05.35 AM

Follow us:

રાજકોટ જિલ્લામાં કાળઝાળ ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર | 927 animals fall ill due to the scorching summer heat in Rajkot district



તાવ, ઝાડા, અપચો, આફરો જેવા કેસમાં ઉછાળો

ગાય, ભેંસ, ઘેંટા-બકરાંને વધુ અસર, ગરમી-બીમારી સાથે ખોરાક ઘટતાં દૂધ ઉત્પાદનમાં 30% સુધીનું ગાબડું

રાજકોટ: રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટ વેવ માનવીને સાથે અબોલ પશુધન માટે પણ ઘાતક સાબિત થઈ રહી છે. ગરમીના પારો સતત ઊંચો રહેવાના કારણે રાજકોટ જિલ્લામાં પશુઓમાં રોગચાળો અને શારીરિક તણાવના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના પશુ દવાખાનાઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૯૨૭ જેટલા વિવિધ પશુઓને કટોકટીના સમયે જરૂરી સારવાર આપવામાં આવી છે. ગરમીની સીધી અસર પશુઓના દૂધ ઉત્પાદન ક્ષમતા પર પડતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

હાલની અસહ્ય ગરમીના કારણે ખાસ કરીને ગાય, ભેંસ, ઘેટા-બકરાં, શ્વાન અને ઘોડા જેવા પશુઓ ગંભીર બીમારીઓનો ભોગ બન્યા છે. પશુ ચિકિત્સકોના જણાવ્યા અનુસાર, ઉનાળાની આ ઋતુમાં પશુઓમાં મુખ્યત્વે તાવ, ઝાડા, મસ્ટાઈટીસ (આંચળનો સોજો), અપચો, રૂમીનલ ઇમ્પેકશન (પેટનો પાંચન માર્ગ જામ થવો) અને આફરો જેવી બીમારીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. વળી, ગરમીની સૌથી માઠી અસર પશુપાલકોના આથક સ્ત્રોત સમાન દુધાળા પશુઓ પર પડી છે. રાજકોટ જિલ્લામાં આશરે ૩૫ ટકા જેટલા ગાય-ભેંસ જેવા દુધાળા પશુઓ ગરમીની અસરમાં છે. અસહ્ય તાપને લીધે પશુઓનો ખોરાક લેવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. ખોરાક ઘટવાને કારણે પશુઓના દૂધ આપવાના પ્રમાણમાં ૨૦ થી ૩૦ ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી પશુપાલન ઉદ્યોગને આથક ફટકો પડયો છે..

પશુપાલન વિભાગ દ્વારા ગ્રીષ્મ લહેર સામે પશુ વ્યવસ્થાપનની માર્ગદર્શિકા

ગાંધીનગર પશુપાલન નિયામક કચેરી દ્વારા ગ્રીષ્મ લહેર સામે પશુ વ્યવસ્થાપનની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે મુજબ, જો કોઈ વિસ્તારમાં સતત બે કે તેથી વધુ દિવસ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે તો તેને ગ્રીષ્મ લહેર કહેવાય છે. પશુઓને હીટ સ્ટ્રોક, ત્વચા લાલ થવી અને ખેંચ, ધૂ્રજારી જેવી આડઅસરોથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાપન કરવા સૂચના અપાઈ છે.

* આશ્રય અને આરામઃ પશુઓને સવારે ૧૧ થી સાંજના ૪ વાગ્યા સુધી છાંયડા અને પૂરતી હવા-ઉજાસવાળા આશ્રયસ્થાનમાં રાખવા. પશુ આવાસના પતરા પર ઘાસ, પરાળ પાથરી તેને સફેદ કલર કરવો..

* પાણી અને ખોરાકઃ પશુઓને પૂરતા પ્રમાણમાં સ્વચ્છ અને ઠંડુ પાણી આપવું. ખોરાકમાં મિનરલ મિક્સચર અને વિટામિન્સ ઉમેરવા તથા વિભાજિત આહાર પદ્ધતિ અપનાવી ઠંડકના સમયે જ ખોરાક આપવો..

* કૂલિંગ સિસ્ટમઃ પશુઓના શેડમાં સ્પ્રિંકલર્સ, ફોગર્સ અથવા ભીના શણના કોથળા લગાવી કુદરતી બાષ્પીભવનથી તાપમાન ઘટાડવું..

* તબીબી મદદઃ જો પશુ હાંફવા લાગે, જીભ બહાર કાઢે અથવા બેભાન થાય તો તુરંત પશુ દવાખાનાનો અથવા ૧૯૬૨ પશુચિકિત્સા સેવાનો સંપર્ક કરવો..



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤