Anil Kapoor Nayak 2 Sequel Confirmed: બોલિવૂડના ‘એવરગ્રીન’ એક્ટર અનિલ કપૂરની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક ‘નાયક’ હવે ફરી મોટા પડદા પર પરત આવવાની તૈયારીમાં છે. વર્ષ 2001માં રિલીઝ થયેલી આ આઇકોનિક ફિલ્મનું સિક્વલ ‘નાયક 2’ બનવાનું કન્ફર્મ થઈ ગયું છે.
આ મોટી માહિતી પ્રોડ્યુસર દીપક મુકુટે આપી છે. તેમણે જણાવ્યું છે કે ‘નાયક 2’ અનિલ કપૂર સાથે મળીને બનાવવામાં આવશે, જેમાં અનિલ કપૂર એક્ટિંગ કરવાની સાથે સાથે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરશે.
‘નાયક’ ફિલ્મનું નિર્દેશન તમિલ ફિલ્મમેકર શંકરે કર્યું હતું. આ ફિલ્મ 1999માં આવેલી સુપરહિટ તમિલ ફિલ્મ ‘મુધલવન’નું ઓફિશિયલ હિન્દી રીમેક હતી. ફિલ્મમાં અનિલ કપૂર સાથે રાણી મુખર્જી, પરેશ રાવલ, અમરીશ પુરી, જૉની લીવર અને સૌરભ શુક્લા જેવા દિગ્ગજ કલાકારો જોવા મળ્યા હતા. બોક્સ ઓફિસ પર ફિલ્મનો રિસ્પોન્સ મધ્યમ રહ્યો હતો, પરંતુ સમય જતાં તે એક કલ્ટ ફિલ્મ બની ગઈ.
પ્રોડ્યુસર દીપક મુકુટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું,
“અનિલ કપૂર અને હું સાથે મળીને ‘નાયક 2’ બનાવી રહ્યા છીએ. હાલ ફિલ્મ સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે. ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, એટલે હજુ વધુ વિગતો શેર કરવી વહેલી છે, પરંતુ હા, આ સિક્વલ ચોક્કસ બનશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે આ એક લેગેસી પ્રોજેક્ટ છે અને લગભગ 25 વર્ષ બાદ તેને આગળ વધારવાનો યોગ્ય સમય હવે આવી ગયો છે. સ્ક્રિપ્ટ લોક થયા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.
અનિલ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેઓ આગામી સમયમાં યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘અલ્ફા’ માં નજર આવશે. આ ઉપરાંત તેઓ ફિલ્મ ‘સૂબેદાર’ માં પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે, જે અમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે.


Leave a Comment