લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Down on Recovery Agents Harassing Loan Defaulters

by

Thenewsdk

Updated: 24-05-2026, 09.39 AM

Follow us:

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Down on Recovery Agents Harassing Loan Defaulters



photo 1779595766810

Loan Recovery Rules: લોનની રિકવરીના નામે ગ્રાહકોને હેરાન કરતા અને ધાકધમકી આપતા રિકવરી એજન્ટ્સ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ લાલ આંખ કરી છે. શહેરી સહકારી બેન્ક અને ગ્રામીણ સહકારી બેન્કના રિકવરી એજન્ટ્સ લોન લેનારાઓ પર અત્યાચાર ન ગુજારે તે માટે RBIએ લોન રિકવરીના નિયમોને વધુ કડક બનાવ્યા છે. નવા નિયમો અનુસાર, હવેથી રિકવરી એજન્ટ્સ ગ્રાહકો સાથે અભદ્ર કે બિભત્સ ભાષામાં વાત કરી શકશે નહીં, તેમજ તેમને કોઈ પણ પ્રકારની ધમકી આપી શકશે નહીં.

સોશિયલ મીડિયા પર બદનામી કરી તો ખેર નથી

નવા નિયમો મુજબ, લોન લેનાર વ્યક્તિને જાહેરમાં હાંસીપાત્ર બનાવવાનું કોઈપણ કૃત્ય રિકવરી એજન્ટ્સ કરી શકશે નહીં. લોન ન ભરી શકનારા ગ્રાહકોની વિગતો, ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તેમનો ઉપહાસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા મેસેજ વાઈરલ કરનાર એજન્સીઓ સામે કડક પગલાં લેવાશે.

આ પણ વાંચો: ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી

RBIની નવી ગાઈડલાઈન્સ 

•અભદ્ર વર્તન અને ગાળાગાળી પર પ્રતિબંધ: રિકવરી એજન્ટ્સ લોન લેનારાઓ સાથે સભ્યતાથી વર્તવું પડશે. ગાળાગાળી, બિભત્સ ભાષા કે માનસિક ટોર્ચર કરવાનો કોઈ અધિકાર એજન્ટો પાસે રહેશે નહીં.

•સમય મર્યાદા નક્કી કરાઈ: એજન્ટ્સ હવે ગ્રાહકના ઘરે સવારે 8:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યાની વચ્ચે જ જઈ શકશે. મોડી રાત્રે કે વહેલી સવારે ઘરે જઈને પરેશાન કરી શકાશે નહીં. જો આ નિર્ધારિત સમય સિવાય જવું હોય, તો લોન લેનારની સ્પષ્ટ પરવાનગી લેવી ફરજિયાત રહેશે.

•વારંવાર ફોન કે મેસેજ કરવા પર રોક: રિકવરી માટે ગ્રાહકોને વારંવાર ફોન કે મેસેજ કરીને હેરાન કરી શકાશે નહીં. સંદેશાની આપલે પણ માત્ર નક્કી કરેલા સમયગાળામાં જ કરવાની રહેશે.

બેન્કોએ એજન્સીની વિગતો જાહેર કરવી પડશે

•પારદર્શિતા જાળવી રાખવા માટે RBIએ સહકારી બેન્કો માટે પણ નિયમો બનાવ્યા છે

•બેન્કે કઈ રિકવરી એજન્સીને કામ સોંપ્યું છે, તેની જાણ ડિફોલ્ટરને અગાઉથી કરવાની રહેશે.

•રિકવરી કરનારી એજન્સીનું સત્તાવાર સરનામું ગ્રાહકને આપવું પડશે.

બેન્કે પોતાની સત્તાવાર વેબસાઇટ પર રિકવરી એજન્સીનું નામ, તેની બ્રાન્ચનું સરનામું અને રિકવરી માટે કઈ મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવશે તેની તમામ વિગતો અપલોડ કરવી ફરજિયાત રહેશે. RBIના આ કડક વલણને કારણે લોન ડિફોલ્ટર્સને માનસિક ત્રાસ આપતી એજન્સીઓ અને સહકારી બેન્કોની મનમાની પર મોટો અંકુશ આવશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤