બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણ ફરી એકવાર પોતાની લોકપ્રિય સસ્પેન્સ-થ્રિલર ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ’ના ત્રીજા ભાગ સાથે પરત ફરવા જઈ રહ્યા છે. મેકર્સે આજે ‘દ્રશ્યમ 3’ની ઓફિશિયલ જાહેરાત સાથે ટીઝર વીડિયો પણ રિલીઝ કર્યો છે, જેને જોઈને ફેન્સનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો છે.
🔹 ટીઝરમાં શું ખાસ?
1 મિનિટ 13 સેકન્ડના ટીઝરમાં અજય દેવગણનો પાવરફુલ વૉઇસઓવર સાંભળવા મળે છે. વિજય સલગાંવકર કહે છે,
“મારું સત્ય, મારું સાચું માત્ર મારો પરિવાર છે.”
ટીઝરમાં અગાઉના બે ભાગની ઝલક સાથે સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે વિજય હજુ પણ પોતાના પરિવાર માટે દીવાલ બનીને ઊભો છે.
વિડીયોના અંતમાં તે કહે છે,
“સ્ટોરી હજી પૂરી નથી થઈ… છેલ્લો ભાગ હજુ બાકી છે.”
આ ડાયલોગે ફેન્સમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે.
🔹 ‘દ્રશ્યમ 3’ની રિલીઝ તારીખ
મેકર્સે ફિલ્મને ગાંધી જયંતી – 2 ઓક્ટોબર 2026ના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે ‘દ્રશ્યમ’ની કહાણીમાં 2 ઓક્ટોબરની તારીખનું વિશેષ મહત્વ રહ્યું છે, જેના કારણે આ તારીખ પસંદ કરવામાં આવી છે.
🔹 સ્ટારકાસ્ટ અને ડિરેકશન
‘દ્રશ્યમ 3’નું દિગ્દર્શન ફરી એકવાર અભિષેક પાઠક કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી ત્યાંથી આગળ વધશે જ્યાં બીજો ભાગ પૂરો થયો હતો. હાલ સૌથી વધુ ચર્ચા એ બાબતે છે કે અક્ષય ખન્ના ત્રીજા ભાગમાં નજર આવશે કે નહીં.
🔹 મલયાલમ ફિલ્મનું હિટ રીમેક
‘દ્રશ્યમ’ મલયાલમ સુપરહિટ ફિલ્મનું હિન્દી રીમેક છે. 2015માં રિલીઝ થયેલો પહેલો ભાગ અને 2022માં આવેલો બીજો ભાગ બોક્સ ઓફિસ પર સફળ રહ્યો હતો. બીજી તરફ, મલયાલમ વર્ઝનમાં મોહનલાલ પણ ‘દ્રશ્યમ 3’નું શૂટિંગ શરૂ કરી ચૂક્યા છે.
હવે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે વિજય સલગાંવકર આ વખતે કયો મોટો રહસ્ય લઈને આવશે.


Leave a Comment