HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ જેવી ઘટના થતા ટળી, ફ્લાઈટના એન્જિનમાં ટેકઓફ પહેલા અચાનક લાગી આગ

Avatar photo
Updated: 23-07-2025, 02.03 PM

Follow us:

અમદાવાદથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકઓફ પહેલા એન્જિનમાં આગ લાગતા દુર્ઘટનાની શક્યતા ઉભી થઈ હતી. ફ્લાઈટમાં કુલ 60 મુસાફરો સવાર હતા. પાયલટે તરત જ ATCને ‘મેડે’નો કોલ આપીને ફ્લાઈટ રોકી દીધી અને તાત્કાલિક મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા.

પાયલટે સમયસૂચકતા દાખવી

ફ્લાઈટ રન-વે પર રોલિંગ કરી રહી હતી ત્યારે એન્જિનમાં તકલીફ સર્જાઈ હતી. જો કે પાયલટે સમયસૂચકતા દાખવી માજા ટાળી હતી. એરલાઈનના જણાવ્યા અનુસાર ફ્લાઈટ નંબર ATR76 ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી છે અને ત્યારબાદ પ્લેનને ‘બે’ પર પાછું લાવવામાં આવ્યું હતું.

તકનિકી તપાસ હાથ ધરાશે

પાયલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસરી સુરક્ષા અધિકારીઓને તાકીદે જાણ કરી હતી. ફ્લાઈટને ઓપરેશનમાં પાછું લાવ્યા પહેલા સમગ્ર તકનિકી તપાસ હાથ ધરાશે. પાયલટની ફરજપરાયણતા અને ઝડપી પગલાંના કારણે તમામ મુસાફરો સુરક્ષિત બચી ગયા છે.

સંપૂર્ણ રિફંડની ઓફર આપવામાં આવી

એરલાઈન્સે મુસાફરોની અસુવિધા બદલ માફી માગી છે અને અન્ય ફ્લાઈટ મારફતે તેમના ગંતવ્યે મોકલી દીધા છે. સાથે જ સંપૂર્ણ રિફંડની પણ ઓફર આપવામાં આવી છે. નોંધનીય છે કે 21 જુલાઈએ પણ ગોવા-ઇન્દોર ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી પરંતુ તે સમયે પણ પાયલટે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.