લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વડોદરાના રાજવી સયાજીરાવ જ્યાં ભણ્યા હતા તે સરકારવાડાનો દાદર એક મહિનાથી લટકી રહ્યો છે | The staircase of Sarkarwada where King Sayajirao of Vadodara studied has been hanging for a month

by

Thenewsdk

Updated: 24-05-2026, 02.30 AM

Follow us:

વડોદરાના રાજવી સયાજીરાવ જ્યાં ભણ્યા હતા તે સરકારવાડાનો દાદર એક મહિનાથી લટકી રહ્યો છે | The staircase of Sarkarwada where King Sayajirao of Vadodara studied has been hanging for a month



વડોદરાઃ વડોદરા નગરી જેના નામથી ઓળખાય છે તે દૂરદર્શી રાજવી સયાજીરાવ ગાયકવાડ જ્યાં ભણ્યા હતા તે સરકારવાડાની ઇમારતનો તૂટેલો દાદર એક મહિના પછી પણ અધ્ધર લટકી રહ્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી જોવાઇ રહી છે.

વડોદરાના માંડવી દરવાજા પાસે સેન્ટ્રલ લાયબ્રેરી સામે આવેલી સરકારવાડા ઇમારત વડોદરાના રાજવી પરિવારના ઇતિહાસનો એક ભાગ છે.આ સ્થળ વડોદરાના રાજવી પરિવારનું પહેલું રહેઠાણ હતું.વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)એ આ ઇમારતમાં બાળપણ વીતાવ્યું હતું અને તેમનું શિક્ષણ પણ આ ઇમારતમાં થયું હતું.

વડોદરાની ઉપરોક્ત ઐતિહાસિક ધરોહરની કોઇ દરકાર નહિ લેવાતાં એક મહિના પહેલાં તેનો ઉપરના માળનો દાદર ધડાકાભેર તૂટી પડયો હતો.આશ્ચર્યની વાત એ છે કે,હજી પણ આ ઇમારતનો ભાગ જે તે સ્થિતિમાં જ લટકી રહ્યો છે.તંત્રએ માત્ર ગેટ બંધ કરાવીને અવરજવર અટકાવી છે.

આ સિવાય તૂટેલા દાદર કે તેની આસપાસના ભાગને ઉતારવાની પણ દરકાર લીધી નથી,જેથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત સેવાઇ રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤