લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

18 વર્ષમાં પહેલીવાર ઇન્જરીના કારણે આખેઆખી વનડે સીરિઝ ગુમાવશે વિરાટ કોહલી: યશસ્વી જયસ્વાલ લેશે જગ્યા | virat kohli ruled out afghanistan odi series 2026 due to hamstring injury yashasvi jaiswal included

by

Thenewsdk

Updated: 09-06-2026, 05.40 PM

Follow us:

18 વર્ષમાં પહેલીવાર ઇન્જરીના કારણે આખેઆખી વનડે સીરિઝ ગુમાવશે વિરાટ કોહલી: યશસ્વી જયસ્વાલ લેશે જગ્યા | virat kohli ruled out afghanistan odi series 2026 due to hamstring injury yashasvi jaiswal included



photo 1781006647021

Virat Kohli Out Of ODI Series: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી 13 જૂનથી શરૂ થઈ રહેલી 3 મેચોની વનડે સીરિઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હૅમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે આ આખી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. વિરાટ કોહલીને આ ઇજા તાજેતરમાં રમાયેલી IPL 2026 દરમિયાન થઈ હતી. સીરિઝની પ્રથમ મેચ 13 જૂને ધર્મશાલાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં હવે કોહલીના સ્થાને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

પોતાના 18 વર્ષના લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરમાં વિરાટ કોહલીએ ઇજાના કારણે ખૂબ જ ઓછી વખત મેચ મિસ કરી હશે. ત્યારે ફેન્સના મનમાં સવાલ થાય કે વિરાટ છેલ્લે ક્યારે ઇજાના કારણે વનડે મેચમાંથી બહાર રહ્યો હતો? આવો જાણીએ તેનો ઇતિહાસ.

વર્ષ 2025માં ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડે રમ્યો નહોતો વિરાટ

અફઘાનિસ્તાન સીરિઝ પહેલા વિરાટ કોહલી છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ફિટનેસના કારણે એકપણ મેચમાંથી બહાર રહ્યો નહોતો. વિરાટને ફિટનેસ સંબંધિત છેલ્લી સમસ્યા ફેબ્રુઆરી 2025માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલા, ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ દરમિયાન થઈ હતી. નાગપુરમાં રમાયેલી તે વનડે મેચમાં વિરાટ ઘૂંટણની ઇજાના કારણે પ્લેઇંગ XI માંથી બહાર રહ્યો હતો. જોકે, તેની એ ઇજા બહુ ગંભીર ન હોવાથી તે બીજી જ વનડે મેચમાં વાપસી કરવામાં સફળ રહ્યો હતો.

કરિયરમાં પહેલીવાર ઇન્જરીના કારણે આખી વનડે સીરિઝ ગુમાવશે

કોહલીના 18 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં આ પાંચમી કે છઠ્ઠી વાર નથી, પણ તદ્દન પહેલીવાર એવું બન્યું છે જ્યારે તે કોઈ ઇજાના કારણે આખેઆખી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો હોય. આ પહેલા તે માત્ર સાવચેતીના ભાગરૂપે અથવા તો અંગત કારણોસર જ વનડે મેચોમાંથી બહાર રહ્યો છે. શારીરિક થાક અને વર્કલોડ મેનેજમેન્ટના કારણે તે પોતાના કરિયરમાં માત્ર એક જ વાર કોઈ મોટી ટૂર્નામેન્ટમાંથી હટ્યો હતો. વર્ષ 2018માં રમાયેલા એશિયા કપમાં તેણે આરામ કરવાનો નિર્ણય લીધો હતો. તે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાયો હતો, જ્યાં ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો: ટીમમાંથી આઉટ અને કેપ્ટન્સી પણ ગઈ… હવે સૂર્યકુમારે 36 બોલમાં 72 રન ફટકારીને સિલેક્ટર્સને આપ્યો જવાબ!

IPL 2026માં વિરાટ કોહલીનું પ્રદર્શન રહ્યું શાનદાર

વિરાટ કોહલી ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે, તેથી તે હવે માત્ર આઇપીએલ અને વનડે ફોર્મેટમાં જ રમતો જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી વિરાટ અદભુત ફોર્મમાં ચાલી રહ્યો છે. IPL 2026માં પણ વિરાટના બેટમાંથી રનનો વરસાદ થયો હતો. આ ટૂર્નામેન્ટમાં તે 16 મેચોમાં 675 રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે ગુજરાત ટાઇટન્સ (GT) સામેની ફાઇનલ મેચમાં પણ અણનમ 75 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤