કર્ણાટકના નાગમંગલામાં ગણપતિની શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે મુદ્દે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
કર્ણાટકના મંડ્યાના નાગમંગલા શહેરમાં તણાવની સ્થિતિનું નિર્માણ થયું હતું અને બુધવારે આયોજિત ગણેશ વિસર્જન યાત્રામાં પથ્થરો અને જૂતા ફેંકવામાં આવ્યા બાદ પ્રતિબંધિત આદેશો જારી કરવામાં આવ્યા હતા, આ ઘટનાને લઈને હિંદુ જૂથોએ મુસ્લિમો સામે આક્ષેપો કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂર્તિ વિસર્જન માટે ગણપતિની શોભાયાત્રા નીકળી રહી હતી ત્યારે પથ્થરમારો થયો હતો, જેના કારણે શહેરમાં બંને કોમ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. પથ્થરમારાની ઘટના એક મસ્જિદની નજીક બની હતી, જે દાવો રાજ્યની વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કરવામાં આવ્યો હતો.
બાદમાં ગણપતિ શોભાયાત્રાના સભ્યોએ સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને બદમાશો સામે કાર્યવાહીની માંગ કરી. ભીડે થોડા પુશકાર્ટ્સ, ટુ-વ્હીલર અને કાપડની દુકાનને આગ લગાડવાનો પ્રયાસ કર્યા પછી પોલીસ અધિકારીઓએ લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો.
ભાજપે કહ્યું કે આ ઘટના શાસક કોંગ્રેસ પાર્ટીની “તુષ્ટીકરણની રાજનીતિની ખતરનાક રમત” તરીકે ઓળખાતી તેનું પરિણામ છે અને આ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તપાસની માગ કરી છે. ભાજપના સાથી, જનતા દળ-સેક્યુલર નેતા એચડી કુમારસ્વામીએ પણ રાજ્ય સરકાર પર સમાન આરોપો લગાવ્યા હતા. તેમણે તોફાનીઓને ચેતવણી પણ આપી અને સ્થાનિક પોલીસને બોલાવી. કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરાએ આ મુદ્દે જણાવ્યું હતું કે આ ઘટના ન થવી જોઈતી હતી, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુધવારે શોભાયાત્રામાં હિંસા ભડકી ઉઠ્યા બાદ, પરિસ્થિતિને કાબૂમાં લઈને પોલીસ કર્મચારીઓની દેખરેખ હેઠળ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બાદમાં, વહીવટીતંત્રે અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે શહેરમાં કલમ 144 (ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવાની મંજૂરી ન આપવી) લાગુ કરી. આ વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે મૈસુરથી વધારાના દળો મોકલવામાં આવ્યા હતા.
આગચંપીમાં 13 દુકાનોને નુકાસન થયું
પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે આ વિસ્તારની તપાસ કરવામાં આવી હતી, અને જાણવા મળ્યું છે કે, 6 દુકાનોને આગચંપીમાં નુકસાન થયું હતું અને પથ્થરમારા અને તોડફોડને કારણે 13 દુકાનોને નુકસાન થયું છે. આજ સવારથી શહેરમાં ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પાછી આવી રહી છે. પોલીસે કહ્યું કે તેઓએ 52 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે, અને આગળની સૂચના ન આવે ત્યાં સુધી વિસ્તારમાં 144ની કલમ લાગુ રહેશે.
7 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલો ગણપતિ ઉત્સવ, 10 દિવસની આનંદદાયક ઉજવણી, ધાર્મિક વિધિઓ અને ઉત્સવો બાદ ભવ્ય વિસર્જન કરવામાં આવે છે. જ્યાં ગણેશજીની મૂર્તિઓને મંત્રોચ્ચાર અને સંગીતની વચ્ચે જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે.
કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરાએ કહ્યું, “…નાગમંગલાની ઘટના ન થવી જોઈતી હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થિતિ નિયંત્રણમાં છે. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. બાદમાં વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. કોઈ નુકસાન થયું નથી…. હવે શાંતિ છે.”
સોશિયલ મીડિયામાં આ ઘટના વિશે પોસ્ટ ના કરવું જોઈએ: રાજ્ય મંત્રી
રાજ્ય મંત્રીએ કહ્યું કે, લોકોએ આ ઘટનાને સોશિયલ મીડિયા પર જાહેર કરવી જોઈએ નહીં. બંને પક્ષોના 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. “હું ત્યાં જઈશ નહિ. વરિષ્ઠ અધિકારીઓ પહેલેથી જ ત્યાં છે. કર્ણાટક ભાજપે લખ્યું, “હેલ્લો મુખ્યમંત્રી @siddaramaiah, શું માંડ્યા જિલ્લો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં છે? શું ગણેશ વિસર્જન સમયે માંડ્યા જિલ્લાના નાગમંગલા તાલુકાના બદરીકોપ્પલમાં @INCKarnataka આ અત્યાચાર રાજ્યમાં વોટબેંકની રાજનીતિનું પરિણામ નથી? મસ્જિદની સામે ગણેશજીની શોભાયાત્રામાં ન જવા દેવા માટે બદમાશોએ પથ્થરમારો કર્યો અને હોબાળો કર્યો. શું તે અસમર્થ મંત્રી @DrParameshwara છે કે જેમણે પોલીસ પર પથ્થરમારો કરવા છતાં ગૃહ વિભાગને આવી મુશ્કેલીમાં મૂક્યો છે?