છત્તીસગઢના રાજનાંદગામ જિલ્લામાં વીજળી પડવાથી 8 લોકોના મોત થયા હોવાના સમાચારે સમગ્ર પંથકમાં ખળબળાટ મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાજનાંદગામ જિલ્લામાં વીજળી પડવાથી 8 લોકોના મોત થયા છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. મૃતકોમાં કેટલાક શાળાના બાળકો હોવાની પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
પોલીસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, આજે બપોરે લગભગ 1.30 વાગ્યે જિલ્લાના સોમની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોરાતરાય ગામમાં વીજળી પડવાથી કેટલાક શાળાના બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
રાજનાંદગાવ જિલ્લાના પોલીસ અધિક્ષક મોહિત ગર્ગે જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી મુજબ, વીજળી પડવાને કારણે કેટલાક શાળાના બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે. આ સિવાય એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.” તેમણે કહ્યું કે આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, તેઓ અને રાજનાંદગાંવના જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. તેમણે કહ્યું કે આ ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
Source link