ENTERTAINMENT

Kajolની પર્સનલ લાઈફમાં આવી મુશ્કેલી! એક્ટ્ર્સેનું છલકાયું દર્દ

  • અજય અને કાજોલ છેલ્લા 23 વર્ષથી એકબીજા સાથે છે
  • થોડા સમય પહેલા કાજોલના લગ્ન જીવનમાં કંઈ સારું ચાલી રહ્યું ન હતું
  • આ વાતનો ખુલાસો કાજોલે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો

બોલિવુડની જાણીતી એક્ટ્રેસ કાજોલ એક્ટર અજય દેવગન અને બે બાળકો સાથે પારિવારિક જીવનમાં ખૂબ જ ખુશ છે. અજય અને કાજોલ છેલ્લા 23 વર્ષથી એકબીજા સાથે છે. ભલે આજે આ લોકપ્રિય કપલનું જીવન ખૂબ જ ખુશ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે કાજોલ તેના લગ્ન પછી ખૂબ જ હેરાન થવા લાગી હતી. પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી કાજોલે એક ઈન્ટરવ્યુમાં લગ્ન પછી બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેના પછી તે ખૂબ જ ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. કાજોલે લગ્નના શરૂઆતના દિવસોમાં મિસકેરેજ અને તેના પડકારો વિશે ખુલ્લેઆમ વાત કરી છે, જે દર્શાવે છે કે આવા સમયમાં તેની પાસે ઘણી હિંમત હતી અને તે આગળ વધી છે.

કાજોલ માટે આ સમય હતો મુશ્કેલ

કાજોલ અને અજય દેવગણના લગ્નને ઘણા સમય થયા છે, પરંતુ આ કપલની પર્સનલ લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેણે લગ્નના થોડા વર્ષોમાં, કાજોલે મિસકેરેજનો સામનો કર્યો, જેની તેના જીવન પર ઊંડી અસર પડી. કાજોલે ખુલાસો કર્યો કે આ સમય તેના અને અજય માટે ઘણો મુશ્કેલ હતો. અજયે શેર કર્યું કે આ દર્દનાક અનુભવે તેને માનસિક અને ભાવનાત્મક રીતે ઘણી અસર કરી, પરંતુ આ મુશ્કેલ સમયે તેમના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા.

શેર કરતાં કાજોલ ભાવુક થઈ ગઈ

મીડિયા ઈન્ટરવ્યુમાં આ બાબત વિશે વાત કરતી વખતે કાજોલ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે શેર કર્યું કે ‘મિસકેરેજ પછી, અમે માનસિક રીતે ઘણા પડકારોનો સામનો કર્યો. અમારા માટે આ મુશ્કેલ સમય હતો. આ સમયગાળા દરમિયાન, અમે એકબીજાને સાથ આપીને એકબીજાને સહારો આપતા.’ તમને જણાવી દઈએ કે કાજોલ માતા બનવાની કોશિશ કરી રહી હતી પરંતુ કોઈને કોઈ કારણસર તેને બે વાર મિસકેરેજનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે એકદમ ભાંગી પડી હતી. પરંતુ તેણે પોતાને સંભાળી અને સતત પ્રયાસો બાદ તેણે એક દીકરીને જન્મ આપ્યો.

 

‘કભી ખુશી કભી ગમ’ સમયે પ્રેગ્નન્ટ હતી કાજોલ

ઈન્ટરવ્યુમાં કાજોલે જણાવ્યું હતું કે 2001માં ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ સમયે તે પ્રેગ્નન્ટ હતી, પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ માટે તૈયાર હતી ત્યારે તેને મિસકેરેજ થયું હતું. આ પછી ફિલ્મે ખૂબ સારું પ્રદર્શન કર્યું પરંતુ કાજોલે ફરીથી પ્રયાસ કર્યો અને ફરીથી મિસકેરેજનો સામનો કરવો પડ્યો.

કાજોલ-અજય ફિલ્મ ‘હલચલ’ના સેટ પર મળ્યા

કાજોલની અજય દેવગન સાથેની પહેલી મુલાકાત પણ ઘણી રસપ્રદ છે. જ્યારે તે ફિલ્મના સેટ પર શૂટ કરવા માટે તૈયાર હતી ત્યારે તેણે પૂછ્યું કે મારો હીરો ક્યાં છે, તો કોઈએ દૂર ખૂણામાં બેઠેલા અજય તરફ ઈશારો કર્યો. કાજોલે કહ્યું કે તે અજયને પહેલીવાર મળવાની 10 મિનિટ પહેલા સુધી તેની ચુગલી કરતી હતી. પરંતુ પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને બંને અજાણ્યા લોકો ધીમે ધીમે એકબીજાની નજીક આવ્યા. 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ પહેલા પંજાબી અને પછી મરાઠી કલ્ચરથી લગ્ન કર્યા.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button