GUJARAT

Bhavnagar: રહેણાંક મકાનમાં આગ લાગવાથી તમામ ઘરવખરી બળીને ખાખ

  • ભાવનગર શહેરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે
  • શહેરના વડવા વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગી
  • આગ લાગતા મકાનમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ

ભાવનગર શહેરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. શહેરના વડવા વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગી હતી. રહેણાંકી મકાનમાં એકાએક આગ લાગતા મકાનમાં રહેલ તમામ ઘરવખરી બળીને થઈ ખાખ થઈ ગઈ હતી.

રહેણાંકી મકાનમાં આગની ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. રહેણાંકી મકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

આણંદના વિદ્યાનગરમાં કોમ્પલેક્ષમાં આગ લાગી હતી

વિદ્યાનગર-બાકરોલ રોડ પર આવેલ એક કોમ્પલેક્ષના ઈલેક્ટ્રીક મીટરમાં એકાએક આગ લાગી હતી. આણંદ-વિદ્યાનગર ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી.

આણંદ તાલુકાના વિદ્યાનગરથી બાકરોલ જવાના માર્ગ પર બાકરોલ સ્ક્વેર કોમ્પ્લેક્ષ આવેલું છે. આ કોમ્પ્લેક્ષના ઈલેક્ટ્રીક મીટરમાં આજરોજ સાંજના સમયે એકાએક આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગને પગલે કોમ્પ્લેક્ષમાંની દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. દુકાનદારો તેમજ ગ્રાહકો કોમ્પ્લેક્ષની બહાર નીકળી ગયાં હતાં અને આ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરી હતી. જેથી આણંદ તેમજ વિદ્યાનગર ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button