રાજ્યમાં દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર સામે આવ્યો છે. રાજ્યમાં દારૂબંધી મુદ્દે કડકાઈ કરવાના બદલે ઢીલ આપતો પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. નવા પરિપત્રમાં દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે.
રૂપિયા 25 હજારનો વિદેશી દારૂનો જથ્થો પકડાતો તો ક્વોલિટી કેસ ગણાતો
અગાઉ રૂપિયા 15 હજારનો દેશી દારૂ પકડાતો તો ક્વોલિટી કેસ ગણાતો અને રૂપિયા 25 હજારનો વિદેશી દારૂનો જથ્થો પકડાતો તો ક્વોલિટી કેસ ગણાતો હતો, ત્યારે આ નવા પરિપત્રમાં દારૂના જથ્થાની લિમિટ વધારી કાર્યવાહી માટે ઢીલાશ વર્તવામાં આવી હોય તેવુ લાગી રહ્યું છે.
નવા પરિપત્ર મુજબ રૂપિયા 1 લાખનો દેશી દારૂનો જથ્થો પકડાશે તો ક્વોલિટી કેસ ગણાશે
કારણ કે હવે રૂપિયા 1 લાખનો દેશી દારૂનો જથ્થો પકડાશે તો ક્વોલિટી કેસ ગણાશે અને બીજી તરફ વિદેશી દારૂનો રૂપિયા 2.50 લાખનો જથ્થો પકડાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે. ઉલ્લેખનીય છે કે દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે ખાતાકીય કાર્યવાહી થાય છે. જે તે વિસ્તારના પોલીસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
Source link