ENTERTAINMENT

તારક મહેતાના આ કલાકારોએ મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શોના વિવાદો

તારક મહેતા શો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શોમાં સોનુ ભીડેનું પાત્ર ભજવી રહેલી પલક સિધવાનીએ મેકર્સ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે શોના કલાકારો દ્વારા શોના મેકર્સ પર આરોપ લગાવવામાં આવ્યો હોય. તમને જણાવી દઈએ કે તારક મહેતા શો ક્યારે વિવાદોમાં રહ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી વિવાદમાં

શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ ભીડેનું પાત્ર ભજવી રહેલી પલક સિધવાનીએ શો છોડવાની જાહેરાત કરી છે. તેમજ તેણે શોના મેકર્સ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ પહેલીવાર નથી કે જ્યારે તારક મહેતાના મેકર્સ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હોય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ક્યારે વિવાદોમાં આવ્યો.

શું છે પલક સિધવાનીના આરોપો?

પલક સિધવાનીએ તારક મહેતા શો છોડવાની જાહેરાત કરી છે. આ ઘોષણા વચ્ચે, શોનું નિર્માણ કરનાર પ્રોડક્શન હાઉસ, નીલા ફિલ્મે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેને કોન્ટ્રાક્ટ તોડવા બદલ પલક સિધવાનીને લિગલ નોટિસ મોકલી છે.

પલકે જણાવ્યું કે મેકર્સ તેને કેમ પરેશાન કરી રહ્યા છે

આ પછી પલક અને તેની ટીમે એક નિવેદન જાહેર કરીને શોના મેકર્સ પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પલક કહે છે કે તે શો છોડવા માગે છે તેથી મેકર્સ તેને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. પલકનું કહેવું છે કે મેકર્સ આવું એટલા માટે કરી રહ્યા છે કે તેના માટે શોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને.

જેનિફર મિસ્ત્રીએ પણ લગાવ્યા ગંભીર આરોપ

જેનિફર મિસ્ત્રીએ આ શોમાં રોશન સિંહ સોઢીની પત્નીની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેણે ગયા વર્ષે શો છોડી દીધો હતો. જેનિફરે શોના મેકર અસિત કુમાર મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેણે શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને ઓપરેશન હેડ સામે પણ ફરિયાદ નોંધાવી હતી.

મોનિકા ભદૌરિયાએ પણ આક્ષેપો કર્યા

શોમાં બાવરીનું પાત્ર ભજવનાર મોનકા ભદૌરિયાએ અસિત મોદી પર તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેને કહ્યું હતું કે સેટ પર કલાકારો સાથે કૂતરાઓ જેવો વ્યવહાર કરવામાં આવતો હતો.

શૈલેષ લોઢા

શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ અસિત મોદી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. તેણે આરોપ લગાવ્યો હતો કે અસિત મોદીએ તેને તેની બાકી રકમ આપી નથી. શૈલેષે તેની સામે ફરિયાદ પણ નોંધાવી હતી, જે બાદ અસિત મોદીએ શૈલેષને એક કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

શૈલેષ લોઢાએ શો કેમ છોડ્યો?

શૈલેષ લોઢાએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અસિત મોદી સેટ પર દરેક સાથે નોકરની જેમ વર્તે છે. તેણે કહ્યું હતું કે આ શો છોડવાનું એક મોટું કારણ હતું.

નેહા મહેતા

શોમાં અંજલિનું પાત્ર ભજવનાર નેહા મહેતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અસિત મોદીએ તેને છ મહિનાથી પૈસા ચૂકવ્યા નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button