યુએનમાં શહબાઝ શરીફે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યા બાદ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. એસ. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન જાણીબુજીને આતંકને શરણ આપી રહ્યું છે. યુએન દ્વારા ઘોષિત વૈશ્વિક આતંકવાદીઓને પણ પાકિસ્તાન શરણ આપે છે.
પાકિસ્તાન પોતે કરેલાં કર્મોનું જ ફળ ભોગવી રહ્યું છે. તેની ખરાબ નીતિઓ તેના જ સમાજને બરબાદ કરી રહી છે. એસ. જયશંકરે યુએનમાં સંબોધતાં કહ્યું કે બીજાની જમીન પર કબ્જો કરનારા દેશની સચ્ચાઈ સામે આવવી જોઈએ. શહબાજ શરીફે યુએનમાં કહેલું કે ભારત હિંદુત્વના એજન્ડા લઈને ચાલે છે અને પેલેસ્ટિનિયનોની જેમ જમ્મુ-કાશ્મીરના લોકો પણ પોતાના આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ સંદર્ભમાં વિદેશમંત્રીએ કહ્યું કે પાકિસ્તાનની આતંકવાદી નીતિ ક્યારેય સફળ નહીં થઈ શકે. પાકિસ્તાનને ક્યારેય માફ ન કરી શકાય.
હવે માત્ર પીઓકેનો મુદ્દો બચ્યો છે, જેનો હલ શોધવાનો છે. લાંબા સમયથી આતંકવાદનું સમર્થન કરવાના કારણે પાકિસ્તાન પોતે જ એકલું પડી ગયું છે. આખી દુનિયા આતંકવાદ વિરુદ્ધ છે. પણ, યુએન દ્વારા ઘોષિત કરાયેલા વૈશ્વિક આતંકવાદીઓને પણ પાકિસ્તાન શરણ આપે છે. કેટલાક દેશોમાં આતંકવાદ નિયંત્રણ બહારછે, જ્યારે પાકિસ્તાન જાણીબૂઝીને આતંકને શરણ આપી રહ્યું છે.
Source link