ભારતીય શેરબજાર આજે એટલે કે, 14 ઑક્ટોબરે સોમવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 195 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. ભારતીય શેરબજાર માટે આજનું સત્ર ખૂબ જ સારું રહ્યું હતું. બજારમાં આ ઉછાળો રોકાણકારોની ખરીદીને કારણે હતો, જેની તમામ ક્રેડિટ બેન્કિંગ અને આઈટી શેરોને જાય છે. આજના સેશનમાં સેન્સેક્સ 82000 અને નિફ્ટી 25000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો.
આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી છે. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 591 પોઈન્ટના ઉછાળા સાથે 81,973 પોઈન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 164 પોઈન્ટના ઉછાળા સાથે 25,127 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ 11 ઑક્ટોબરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 230 પોઈન્ટના ઘટાડા સાથે 81,381 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 34 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,964ના સ્તરે બંધ થયો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.
Source link