જો તમે ખોરાક સાથે તાજા અને લીલા મરચાંનું સેવન કરો છો તો તે વિટામિન સી પ્રદાન કરે છે. એટલા માટે તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકો જમતી વખતે સલાડ સાથે મરચા ખાવાનું પસંદ કરે છે. જો તમે મરચાં નથી ખાતાં તો ધીમે-ધીમે તેને આદત બનાવી લેવી જોઈએ, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
લીલા મરચાને શાકભાજીમાં ઉમેરવા કરતાં અલગ ખાવાથી વધુ ફાયદો થાય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી સ્થૂળતા ઓછી થાય છે. કારણ કે તેમાં જોવા મળતા એન્ટી-ઓક્સીડેન્ટ સ્થૂળતાને કંટ્રોલ કરે છે અને ફેટ બનતા અટકાવે છે
લીલા મરચામાં વિટામિન A, C અને E જેવા પોષક તત્વો મળી આવે છે. વિટામિન એ આંખો માટે સારું છે, વિટામિન સી સેલ ડેમેજ ઘટાડે છે, અને વિટામિન ઇ ત્વચા અને વાળ માટે મહત્વપૂર્ણ છે.
લીલાં મરચાંમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. તે તમને રોગોથી બચાવે છે.
લીલું મરચું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયની બીમારીઓથી બચાવે છે. વધુમાં તે હૃદય અને ધમનીઓને ઓક્સિડેટીવ નુકસાનથી પણ રક્ષણ આપે છે, જે હૃદય રોગના જોખમને ઘટાડે છે.
લીલા મરચા પાચનને ઝડપી બનાવે છે. આને ખાવાથી ગેસ્ટ્રિક જ્યુસ ઝડપથી નીકળે છે, જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને સાથે જ પોષક તત્વો પણ સરળતાથી શોષાય છે.
સ્ત્રીઓ ઘણીવાર આયર્નની ઉણપથી પીડાય છે, પરંતુ જો તમે દરરોજ ભોજનની સાથે લીલા મરચાં ખાશો તો તમારા આયર્નની ઉણપ પણ પૂરી થઈ જશે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )
Source link