ENTERTAINMENT

TMKOCમાં દયાભાભી નહી જોવા મળે? અસિત મોદીએ દિશા વાકાણીને લઇને કર્યો ખુલાસો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ સિરિયલને નાના બાળકોથી માંડીને સૌ કોઇ પસંદ કરે છે. તેના દરેક કલાકારો સાથે આપણને કનેક્ટ કરે છે. આથી જ આ શો પોપ્યુલર છે. પરંતુ હા, પહેલા જે કલાકારો હતા તેમાંથી મોટા ભાગના કલાકારો રિપ્લેસ થઇ ગયા છે. જો કે આ સિરિયલમાં મુખ્ય પાત્રમાંથી એક એવા દયાભાભીની ગેરહાજરી હજી પણ વર્તાઇ રહી છે. ત્યારે શૉ પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં દયા ભાભી એટલે કે દિશા વાકાણીને શોમાં પરત લાવવા અંગે વાત કરી છે.

દયાબેનને પાછા લાવવા જરૂરી- અસિત મોદી 

ન્યૂઝ 18 શોષા સાથે વાત કરતા આસિત મોદીએ કહ્યું હતું કે દયાબેનને પાછા લાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે હું પણ તેમને મિસ કરું છું. કેટલીકવાર સંજોગો એવા બદલાઇ જાય છે અને કેટલીક વસ્તુઓ એવી બને છે કે તેમાં વિલંબ થઇ જાય છે. ક્યારેક સ્ટોરી લાંબી થઈ જાય છે. ક્યારેક કેટલીક મોટી ઘટનાઓ બને છે. 2024માં ચૂંટણી હતી, આઈપીએલ અને પછી વર્લ્ડ કપની મેચો હતી, વરસાદની મોસમ હતી. કેટલાક કારણોસર તેમાં વિલંબ થાય છે.

હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું- અસિત મોદી 

પ્રોડ્યુસરે વધુમાં કહ્યું કે હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું. જોકે મને લાગે છે કે દિશા વાકાણી શોમાં પાછી નહીં આવે. તેમને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ તેમના પરિવાર સાથે અમારો ખૂબ જ ગાઢ સંબંધ છે. મારી બહેન દિશા વાકાણીએ મને રાખડી બાંધી છે. તેના પિતા અને ભાઈ પણ મારા માટે પરિવાર છે.

દિશા પાછી આવે તો સારું- અસિત મોદી 

અસિત મોદીએ કહ્યું કે હવે તેના માટે શોમાં પરત આવવું મુશ્કેલ છે. લગ્ન પછી સ્ત્રીઓનું જીવન બદલાઈ જાય છે. નાના બાળકો સાથે કામ કરવું અને ઘરનું સંચાલન કરવું થોડું મુશ્કેલ છે. પરંતુ હું હજુ પણ હકારાત્મક છું. ક્યાંક મને લાગે છે કે ભગવાન કોઈ ચમત્કાર કરશે અને તે પાછા આવશે. જો તે આવશે, તો બહુ સારી બાબત હશે. પણ જો કોઈ કારણસર તે ન આવે તો મારે બીજા દયાબેનને શો માટે લાવવા પડશે.

2017થી દયા ભાભી શોમાંથી ગાયબ

છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે શું દયાબેન એટલે કે દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પરત ફરશે કે નહીં. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં આ મુદ્દે વાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે દિશા શોમાં પાછી ફરે.પરંતુ , હવે તેને નથી લાગતું કે અભિનેત્રી શોમાં પાછી ફરે. અસિત મોદીએ એ પણ જણાવ્યું કે દયાબેનના રોલ માટે ઓડિશન ચાલી રહ્યા છે. જો કોઈ અભિનેત્રી ફાઈનલ થશે તો તેઓ તેને આવકારશે. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017માં પ્રસૂતિ રજા પર ગઈ હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button