સ્પોર્ટ્સ

Asia cup 2025 : શું ભારત-પાકિસ્તાન T20 મેચ ખરેખર રદ થશે? જાણો સુપ્રીમ કોર્ટે શું નિર્ણય લીધો

હવે ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી છે. ઉર્વશી જૈનના નેતૃત્વમાં કાયદાના ચાર વિદ્યાર્થીઓએ અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પહેલગામ હુમલા પછી આટલી જલ્દી મેચનું આયોજન કરવું એ લોકો અને શહીદ ભારતીય સેનાના સૈનિકોનું અપમાન કરવા સમાન છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મેચ બંધ ન કરવી જોઈએ.

દલીલ શું કહેવામાં આવ્યું હતું?

દલીલમાં કહેવામાં આવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન મેચનું આયોજન રાષ્ટ્રના ગૌરવનું અપમાન હશે અને ભારતીય સૈનિકો અને જીવ ગુમાવનારા લોકોનું અપમાન હશે. દલીલમાં કહેવામાં આવ્યું હતું કે ક્રિકેટને રાષ્ટ્રીય હિતથી ઉપર ન રાખવું જોઈએ.

પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રચંડ આરંભ

ઉલ્લેખનીય છે કે એશિયાકપમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં UAEને ફક્ત 57 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં ટીમે 4.3 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. સ્પીનર કુલદીપ યાદવે માત્ર 7 રન આપી 4 વિકેટ ખેરવી હતી. પરિણામે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો.

એશિયા કપ માટે ભારતની ટીમ

સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિકુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button