મારું ગુજરાત

ઈડરમાં મહાકાળી મંદિરના મહંતની ઘાતકી હત્યા, શું છે સમગ્ર ઘટના?

ઈડર શહેર ફરી એકવાર ભય અને ચકચારના માહોલમાં ગરકાવ થયું છે. મહાકાળી મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીની અજાણી વ્યક્તિઓ દ્વારા કરાયેલી ઘાતકી હત્યાના બનાવે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે.

મળતી માહિતી મુજબ, મહંત પૂર્ણાનંદ સ્વામી દરરોજની જેમ મંદિર પરિસરમાં નિવાસ કરતા હતા. પરંતુ આજે સવારે તેમનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં રૂમમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ઈડર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને તપાસ હાથ ધરી છે.

પોલીસ અને ફોરેન્સિક ટીમે સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળના કારણો સ્પષ્ટ થયા નથી, પરંતુ પોલીસ વિવિધ આશંકાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

  • ભક્તોમાં ભારે આક્રોશ

આ ઘટના બાદ શહેરમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ધાર્મિક વર્ગ અને ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. મોટી સંખ્યામાં લોકો મહાકાળી મંદિર ખાતે પહોંચી મહંતને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button