NATIONAL

Maharashtraના મોટા બિલ્ડર મંગેશ ગાયકરની ઓફિસમાં ફાયરિંગ, પિતા-પુત્ર ઘાયલ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક મોટી ઘટના સામે આવી છે. પ્રખ્યાત બિલ્ડર અને મંગેશ શ્રી ગ્રુપના માલિક મંગેશ ગાયકરની ગુરુવારે થાણેના કલ્યાણ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર મંગેશ ગાયકરને તેમની ઓફિસમાં ગોળી મારી દેવામાં આવી હતી. ગોળીબારમાં તેનો પુત્ર પણ ઘાયલ થયો હતો. હાલ બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.

મંગેશ ગાયકરની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ચલાવવામાં આવી ગોળી

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગોળી મંગેશ ગાયકરની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ચલાવવામાં આવી હતી. હવે તેના પર કોઈએ તેની જ રિવોલ્વરમાંથી ગોળી ચલાવી છે કે પછી તેના જ હાથમાંથી ગોળી ચલાવવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ મંગેશ ગાયકરે પોતાના નામની લાયસન્સવાળી રિવોલ્વર લીધી હતી. આ રિવોલ્વરમાંથી ગોળી ચલાવવામાં આવી હતી. પહેલા ગોળી મંગેશને વાગી પછી તેના પુત્રને વાગી હતી. બન્નેને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મંગેશ ગાયકરના સ્ટાફે શું કહ્યું?

મંગેશ ગાયકરના સ્ટાફે પોલીસને જણાવ્યું કે, ગુરુવારે મંગેશ તેના બિઝનેસ પાર્ટનર સાથે ઓફિસમાં બેઠો હતો. તેમની સાથે મંગેશનો પુત્ર પણ હતો. તે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક ગોળી વાગી હતી. પ્રારંભિક માહિતી અનુસાર ગોળી તેમના હાથમાંથી પસાર થઈ હતી અને બાદમાં તેમના પુત્રને વાગી હતી. આ ઘટના બાદ તરત જ બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

થાણે પોલીસે તપાસ હાથ ધરી

માહિતી મળ્યા બાદ પહેલા પોલીસ સ્થળ પર મંગેશની ઓફિસ પહોંચી. ત્યાં પૂછપરછ કર્યા બાદ પોલીસ સીધી મીરા હોસ્પિટલ ગઈ હતી. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે, મંગેશ ગાયકરને કેવી રીતે ગોળી મારવામાં આવી? શું ખરેખર બંદૂક સાફ કરતી વખતે ગોળી ચલાવવામાં આવી હતી કે કોઈએ ઓફિસમાં આવીને ગોળી ચલાવી હતી? ઝપાઝપીમાં ફાયર તેના પર નહીં પરંતુ તેના પુત્ર પર થઈ ગયું અને ગોળી તેને વાગી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button