GUJARAT

Gir: ઈકોઝોનના કાયદા સામે વિરોધનો વંટોળ, ઈકોઝોનનો કાયદો ન લાવવા ઠરાવ મંજૂર

ગીરમાં ઈકોઝોનના કાયદા સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો. ઈકોઝોનનો કાયદો ન લાવવા ઠરાવ કરવામાં આવ્યો. જાહેરનામાને રદ કરવા માટે પણ ઠરાવ કરાયો તેમજ APMCના સભ્યોની સહમતીથી ઠરાવ મંજૂર કરવામાં આવ્યો.

ગીરમાં ઇકો ઝોનનો સતત વધતો વિરોધ

ગીરમાં ઇકો ઝોનનો સતત વિરોધ વધી રહ્યો છે. તાલાલાના આકોલવાડી ગામે કિસાન સંઘ દ્વારા ગામ લોકો સાથે ખાટલા બેઠક યોજવામાં આવી. ગત રાત્રીના બેઠક યોજાઈ. બેઠકમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા. ગામ લોકોએ ભેગા થઈને એક જ માગ કરી હતી કે ઇકો ઝોનનો કાયદો નાબુદ કરવો જોઈએ. આ ખાટલા બેઠકમાં 1,000 થી વધુ ગામ લોકો જોડાયા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button