GUJARAT

Gujarat: સંદેશ પરિવાર દ્વારા મુખ્ય કાર્યાલય ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી

આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે. જેમાં અમદાવાદમાં 1000 નાના મોટા પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. તેમાં સંદેશ પરિવાર દ્વારા પણ સંદેશના મુખ્ય કાર્યાલય જે અમદાવાદાના વસ્ત્રાપુરમાં આવેલ છે તેમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. સાથે જ સંદેશ સંસ્થાના તમામ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી છે.

ગણેશજીની પૂજાથી સંદેશ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો

સવારે શુભ મુહૂર્તમાં ગણેશજીને વિશેષ શણગાર કરી સંદેશ પરિવારના સભ્યોએ વિધિ વિધાન સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી છે. સંદેશના મુખ્ય કાર્યાલય પરિસરમાં આજના દિવસે સવાર સાંજ ગણેશજીની આરતી કરવામાં આવશે. જેમાં જય ગણેશના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતુ. તેમજ આ ઉજવણી તથા ગણેશજીની પૂજાથી સંદેશ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button