GUJARAT

Shehera: રોડ પર ઠેર ઠેર ખાડા પડવા છતાં રિપેરિંગ કરવામાં તંત્રની ઉદાસીનતા

શહેરા અણીયાદ ચોકડીથી લુણાવાડા અને ગોધરા તરફ્ જવાના હાઇવે ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી ગયા હોવા છતાં કંપની દ્વારા રસ્તાની મરામત કરવા માટે શુભ મુહૂર્તની રાહ જોવાઈ રહી હોય એવું લાગી રહયુ છે.

જોકે મોટા વાહન ચાલકો પાસેથી ટોલ તો વસૂલવામાં આવતો હોય પરંતુ હાઇવે ઉપર પડેલા મોટા ખાડાની મરામત નહી કરાતા વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હાઈવે માર્ગ દિલ્હી બોમ્બે ને જોડતો હોવાથી દિવસ અને રાત્રી દરમિયાન પાંચ હજાર કરતાં વધુ વાહનો પસાર થતા હોય છે, હાઈવે ઉપર મસમોટા ખાડાઓમાં પડી ગયાહોવાથી અમુક વાહનોને નુકશાન પણ થતુ હોવાનું વાહન ચાલકો પાસેથી જાણવા મળી રહયુ હતુ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button