સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં 10થી વધુ ગાયોના રહસ્યમય મોત થવાનો બનાવ ગત ગુરૂવારે સામે આવ્યો હતો. ત્યારે શુક્રવારે કરણી સેના અને હરશકિત ફાઉન્ડેશન દ્વારા શુક્રવારે જિલ્લા કલેકટર કચેરીમાં આ અંગે લેખિત રજૂઆત કરી હતી. અને આ બનાવમાં ઝીણવટભરી તપાસની માંગ કરી હતી.
સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ, કૃષ્ણનગર, રઘુવીરનગર સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટીકયુકત ખોરાક કે કાચુ ઘાસ ખાવાથી છેલ્લા 2-3 દિવસમાં જ 10થી વધુ ગાયોના મોત થયા છે. બનાવની જાણ સેવાકીય કાર્ય કરતા હરશકિત ફાઉન્ડેશનને થતા તેઓએ આ વાતની વીડીયો બનાવી શહેરમાં સોશીયલ મીડીયામાં ફરતો કર્યો હતો. જેમાં તેઓએ લોકોને વધેલો ખોરાક પ્લાસ્ટીકની થેલીઓમાં ભરી કચરામાં ન નાંખવા અપીલ કરી હતી. બીજી તરફ શહેરમાં કરોડોના ખર્ચે બનેલ પશુ દવાખાનામાં ગાયોની સારવાર માટેના સાધનો ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે શુક્રવારે કરણી સેના સુરેન્દ્રનગર અને હરશકિત ફાઉન્ડેશન દ્વારા કલેકટર કચેરીમાં આ અંગે લેખીત રજૂઆત કરાઈ હતી અને ગાયોના મોતના બનાવમાં તપાસ કરવા માંગ કરાઈ છે. જયારે ઘાસચારો વેચતા લોકોને પણ ત્યાં તપાસ કરાવવા માંગ રજૂઆતના અંતે કરાઈ છે.
Source link