GUJARAT

Surendranagar વિવિધ વિસ્તારમાં 10થી વધુ ગાયનાં મોતના બનાવની તપાસ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં 10થી વધુ ગાયોના રહસ્યમય મોત થવાનો બનાવ ગત ગુરૂવારે સામે આવ્યો હતો. ત્યારે શુક્રવારે કરણી સેના અને હરશકિત ફાઉન્ડેશન દ્વારા શુક્રવારે જિલ્લા કલેકટર કચેરીમાં આ અંગે લેખિત રજૂઆત કરી હતી. અને આ બનાવમાં ઝીણવટભરી તપાસની માંગ કરી હતી.

સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ, કૃષ્ણનગર, રઘુવીરનગર સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટીકયુકત ખોરાક કે કાચુ ઘાસ ખાવાથી છેલ્લા 2-3 દિવસમાં જ 10થી વધુ ગાયોના મોત થયા છે. બનાવની જાણ સેવાકીય કાર્ય કરતા હરશકિત ફાઉન્ડેશનને થતા તેઓએ આ વાતની વીડીયો બનાવી શહેરમાં સોશીયલ મીડીયામાં ફરતો કર્યો હતો. જેમાં તેઓએ લોકોને વધેલો ખોરાક પ્લાસ્ટીકની થેલીઓમાં ભરી કચરામાં ન નાંખવા અપીલ કરી હતી. બીજી તરફ શહેરમાં કરોડોના ખર્ચે બનેલ પશુ દવાખાનામાં ગાયોની સારવાર માટેના સાધનો ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે શુક્રવારે કરણી સેના સુરેન્દ્રનગર અને હરશકિત ફાઉન્ડેશન દ્વારા કલેકટર કચેરીમાં આ અંગે લેખીત રજૂઆત કરાઈ હતી અને ગાયોના મોતના બનાવમાં તપાસ કરવા માંગ કરાઈ છે. જયારે ઘાસચારો વેચતા લોકોને પણ ત્યાં તપાસ કરાવવા માંગ રજૂઆતના અંતે કરાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button