GUJARAT

Dhandhuka: વિજયાદશમીના પર્વે ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન અને શોભાયાત્રા યોજાઈ

ધંધૂકા શહેરમાં ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા વર્ષો જુની પરંપરા મુજબ દરબાર બોર્ડિંગ ખાતે શસ્ત્ર્ર પૂજન કર્યા બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ક્ષત્રિય સમાજ વિશાળ સંખ્યામાં દરબાર બોર્ડિંગ ખાતે એકત્ર થઈ પરંપરાગત રીતે શસ્ત્ર્ર પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ તકે સમાજ પ્રમુખ જયવીરસિંહ, ઉપપ્રમુખ મહાવીરસિંહ, મંત્રી જીતુભા, શિક્ષણ સમિતિ ચેરમેન યોગરાજસિંહ,ઉચ્ચ પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહ, સમાજના શ્રોષ્ટી દાતા ગંભીરસિંહ સહિત મહાનુભાવો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે શસ્ત્ર્ર પૂજન કર્યું હતું.ત્યારબાદ બુલેટ, અશ્વો સાથે ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. ઠેર ઠેર શોભાયાત્રાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button