GUJARAT

Rajkot: રાજકોટથી ભુજ અને નાથદ્વારાના રૂટ ઉપર નવી વોલ્વો બસ દોડશે

રાજકોટના એસટી મુસાફરોની સવારીમાં વધુ સવલતો ઉમેરવા માટે રાજકોટ એસટી ડિવિઝનને વધુ પાંચ નવીન વોલ્વો બસ ફાળવવામાં આવી છે. જેથી રાજકોટથી લાંબા રૂટ ભુજ અને નાથદ્વારા પર આ બસને દોડાવવામાં આવશે. રાજકોટ એસટી ડિવિઝનને 10 વોલ્વો બસ ફાળવવામાં આવી હતી.

જ્યારે આજરોજ વધુ પાંચ બસની ફાળવણી કરવામાં આવી છે. આ પાંચ બસ રાજકોટથી ભુજ અને રાજકોટથી નાથદ્વારા રૂટ પર દોડાવવામાં આવશે. રાજકોટથી ભુજ માટે રોજ સવારે 6 વાગ્યે, બપોરે 12:30 વાગ્યે અને સાંજે 17:30 વાગ્યે વોલ્વો બસ ઉપડશે તો ભુજથી આ બસ સવારે 5 વાગ્યે, 10 વાગ્યે અને બપોરે 1 વાગ્યે ઉપડશે. ભુજના રૂટ પર દોડતી બસ વાયા મોરબી,સામખીયાળી, ગાંધીધામ અને ભચાઉ પર સ્ટોપ કરશે. જ્યારે રાજકોટથી નાથદ્વારા માટે રોજ બપોરે 4:30 વાગ્યે અને નાથદ્વારાથી રાજકોટ માટે પણ એ જ સમયે બસ મળી રહેશે. રાજકોટથી નાથદ્વારા ઉપડતી બસ મોરબી, અમદાવાદ, હિંમતનગર, શામળાજી અને ઉદેપૂર સ્ટોપેજ કરશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button