રાજકોટના અગ્નિકાંડના મુખ્ય સુત્રધાર અને સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ બંગલામાં પૂર્વ મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ ખડકી દેતા પશ્ચિમ ઝોન ટાઉન પ્લાનિંગ કચેરી દ્વારા બાંધકામ તોડી પાડવાની નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ડિમોલિશન કરવામાં આવે તેવા સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે.
મહાપાલિકાના આસી. ટાઉન પ્લાનર ઓફિસર કુંતેશ મેતાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.9માં આકાશવાણી ચોક પાસે આવેલ અનામિકા સોસાયટીમાં 150 ચો.મીટરમાં બાંધકામ ચાલી રહ્યું છે. મંજૂર થયેલ પ્લાનમાં વધારાનું 18 ચોરસ મીટર માર્જીંનની જગ્યામાં સિક્યુરિટી ગાર્ડની ઓફિસ અને મંદિર બનાવવામાં આવ્યું છે.
મહાપાલિકાની ટીમ દ્વારા બંગલાની સ્થળ તપાસ કરવામાં આવતા મનસુખ સાગઠિયાએ વધારાનું ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોવાનું જાહેર થયું છે. આ બંગલો સાગઠિયાના પત્ની ભાવનાબેન સી.સાદીયાના નામનો હોય તેઓને ગત તા.6ના રોજ નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં લેખિત ખૂલાસો કરવા તાકીદ કરી છે. જો કે, સાત દિવસનો સમય પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ જવાબ રજૂ કર્યો નથી. આથી આગામી દિવસોમાં 18 ચોરસ મીટરમાં ખડકવામાં આવેલ ગેરકાયેસર બાંધકામ તોડી પાડવા મહાપાલિકાએ તેયારી શરૂ કરી છે.
Source link