દેશની મોટી અને મહત્ત્વની રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, હમણાં વ્યાજ દરમાં કાપનો યોગ્ય સમય નથી આવ્યો. દેશમાં મોંઘવારી વધેલી છે. આગળ પણ આમાં વધું ઘટાડાની શક્યતા નથી. આવામાં અમે વ્યાજ દર ઘટાડવાનું જોખમ નથી લેવા માગતા. આરબીઆઈએ આ મહિને થયેલી મોનેટ્રી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખવાની જાહેરાત કરી હતી. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દ્વારા કાપ પછી તમામને આશા હતી કે, આરબીઆઈ પણ આવું કરી શકે છે. પરંતુ આરબીઆઈએ પોતાનો નિર્ણય આપીને સૌને ચોંકાવી દીધા હતા.
Source link