વડોદરાના ભાયલી બાદ મંગળવારે મોડી રાત્રે માંગરોળના મોટા બોરસરાંમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મની ઘટનામાં સામેલ ત્રણ આરોપીઓ ફરાર હતા. જેમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી, જ્યારે એક આરોપી હજુ ફરાર હતો. આ આરોપીઓને ભાગતા જોઈને પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું પરંતુ તે ભગી જવામાં સફળ રહ્યો હતો. ત્યારે હવે પોલીસે આ આરોપીને પણ અમદાવાદ સાબરમતીથી દબોચી લીધો છે.
માંગરોળ દુસ્કર્મ કેસનો વોન્ડેટ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિસ્વકર્મા મુંબઈ-અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે રેલ્વે એલસીબીને જાણ કરી હતી. રેલવે એલસીબીના પી.આઈ હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમ તરત જ અમદાવાદ સાબરમતી ખાતે પહોચી ટ્રેનમાંથી આરોપીને દબોચી લીધો હતો. અને ત્યારબાદ આરોપીને સુરત ખાતે લઈ જવામાં આવ્યો છે.
નોંધ: આ સ્ટોરી અપડેટ થઈ રહી છે.
Source link