GUJARAT

Surendranagar પાલિકાના સફાઈ કામદારો તા.17મીથી આંદોલનનાં મંડાણ કરશે

સુરેન્દ્રનગર પાલિકાનો વહીવટ જાણે ખાડે ગયો હોય તેમ શહેરની સ્થિતિ બદ્દતર થતી જાય છે. શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે.

ત્યારે શહેરની સફાઈની મહત્વની કામગીરી કરનાર પાલિકાના સફાઈ કર્મચારીઓને લાંબા સમયથી વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા છે. અનિયમિત પગાર, ઓછા સફાઈ કામદારો રાખી તેઓ પર કામગીરીનું ભારણ નાંખવુ, રાતો રાત છુટા કરી દેવા જેવા પાલીકાના સત્તાધીશોના અણઘડ નીર્ણયથી સફાઈ કામદારોમાં રોષ ફેલાયો છે. ત્યારે ગુજરાત રાજય કર્મચારી સંઘના નેજા હેઠળ મયુરભાઈ પાટડીયા સહિતનાઓએ પાલીકામાં આવેદનપત્ર આપી તા. 17-10થી આંદોલનના મંડાણની ચીમકી આપી છે. જેમાં પ્રતીક ધરણા અને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button