NATIONAL

UP: યોગી સરકારના બુલડોઝર પર લાગશે પ્રતિબંધ? સુપ્રીમ કોર્ટે કરી કડક ટિપ્પણી

  • બુલડોઝર મોડલ અંગે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
  • બુલડોઝરની કાર્યવાહી અંગે માર્ગદર્શિકા જારી કરાશે
  • આરોપી દોષિત હોય તો પણ તેનું મકાન તોડી શકાય નહીં

ઉત્તર પ્રદેશમાં યોગીનું બુલડોઝર મોડલ બાદ ઘણા રાજ્યોએ બાબાનું બુલડોઝર મોડલ પણ અપનાવ્યું હતું. જો કોઈ ગંભીર ગુનામાં આરોપી કે દોષિત હોય તો તેની સામે બુલડોઝરની મદદથી ન્યાય અપાવવામાં આવતો હતો. સોમવારે સુપ્રીમ કોર્ટમાં બુલડોઝરની કાર્યવાહી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે કડક ટીપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ વ્યક્તિ આરોપી કે દોષિત હોય તો પણ તેનું ઘર કે મકાન તોડવામાં આવતું નથી. જોકે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેમની દલીલ રજૂ કરી હતી.

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા અને અધિકારીઓને પૂછ્યું કે માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર કેવી રીતે તોડી શકાય. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો પણ તેનું ઘર તોડી શકાય નહીં. SCએ સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ ગેરકાયદે બાંધકામ કે જે રસ્તાઓ અથવા જાહેર જગ્યાઓને અવરોધે છે તેને સુરક્ષિત કરી શકાય નહીં.

બુલડોઝરની કાર્યવાહી અંગે માર્ગદર્શિકા લાવશેઃ SC

જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે બુલડોઝર ડિમોલિશન સામેની અરજીઓ પર કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ આરોપી અથવા દોષિત હોય તો પણ કાયદાનું પાલન કર્યા વિના કાર્યવાહી કરી શકાય નહીં. આ દરમિયાન કોર્ટે આ મામલે કેટલીક માર્ગદર્શિકા જારી કરવાની વાત કરી હતી, જેમાં નિષ્ણાતોના સૂચનો પણ લેવામાં આવશે.

ગેરકાયદે બાંધકામો પર જ બુલડોઝર ચાલશે

જસ્ટિસ કે.વી. વિશ્વનાથને કહ્યું કે, પિતાનો દીકરો બેફામ હોઈ શકે છે, પરંતુ જો તેના આધારે ઘર તોડી પાડવામાં આવે તો તે યોગ્ય રસ્તો નથી. કોર્ટે કહ્યું કે, મકાન કે ઈમારત ગેરકાયદેસર હોય ત્યારે જ બુલડોઝર વડે ડિમોલિશનનું કામ થઈ શકે છે. આ માટે પણ પહેલા નોટિસ હોવી જોઈએ, પછી જવાબ આપવાનો સમય અને કાયદાકીય ઉપાય અને પછી ડિમોલિશન જોઈએ. આ મામલામાં આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.

જાણો સોલિસિટર જનરલે શું દલીલ કરી

આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ સ્વીકાર્યું હતું કે, આરોપી દોષિત સાબિત થયા પછી પણ તેનું મકાન તોડી શકાય નહીં. જો કે, તેમણે તેમની અરજીમાં સ્પષ્ટ કર્યું હતું કે, જેમની સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે તેમના ઘર કે બાંધકામ ગેરકાયદેસર છે. આ કાર્યવાહી કોઈ ગુનાના કારણે નહીં પરંતુ મહાનગરપાલિકાના નિયમ મુજબ કરવામાં આવી છે. જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button