GUJARAT

Surendranagar: વકીલ મંડળની ચૂંટણીમાં સેક્રેટરી પદે વિપુલ જાનીનો વિજય

સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં તા. 20મી ડિસેમ્બરે મતદાન યોજાયુ હતુ. વકીલ મંડળની ચૂંટણીમાં અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, લેડી રીપ્રેઝન્ટેટીવ અને જોઈન્ટ સેક્રેટરી માટે એક જ ફોર્મ જતા પાંચેય પદ માટેના ઉમેદવારો બિનહરીફ થયા હતા.

ત્યારે સેક્રેટરી પદ માટેની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને 184 મત અને હરીફ ઉમેદવારને 93 મત મળ્યા હતા. સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં અગાઉ પ્રમુખના પદ માટે વર્તમાન પ્રમુખ ઘનશ્યામસીંહ ઝાલા, ઉપપ્રમુખ માટે કશ્યપ શુકલ, મહિલા ઉપપ્રમુખ માટે દીપાલીબેન શાહ, લેડી રીપ્રેઝન્ટેટીવ તરીકે ભારતીબેન પતાણી અને જોઈન્ટ સેક્રેટરી માટે રોહીત સાપરાના એક-એક જ ફોર્મ ઉપડતા આ પાંચેય હોદ્દા બિનહરીફ થયા હતા. અને ઘનશ્યામસીંહ ઝાલા સતત ચોથીવાર વકીલ મંડળના પ્રમુખ તરીકે બિરાજયા હતા. જયારે સેક્રેટરીના પદ માટે વિપુલ જાની અને આઈ. કે. શેખે ફોર્મ ભર્યા હતા. વકીલ મંડળની ચૂંટણીમાં તા. 20મી ડિસેમ્બરે ચૂંટણી અધિકારી દેવેન્દ્રસીંહ રાણા અને પરબતસીંહ પરમારના માર્ગદર્શનથી ચૂંટણી યોજાઈ હતી. જેમાં સવારથી મતદારોમાં ઉમળકો જોવા મળતો હતો. શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ નોંધાયેલા 371 મતદારોમાંથી 291એ મતદાન કર્યુ હતુ. ત્યારબાદ મત ગણતરી યોજાઈ હતી. જેમાં સેક્રેટરી પદના ઉમેદવાર વિપુલ જાનીને 184 અને હરીફ ઉમેદવાર આઈ. કે. શેખને 93 મત મળતા વિપુલ જાનીનો 91 મતે જવલંત વિજય થયો હતો. વકીલ મંડળની ચૂંટણીમાં 14 મત ફેઈલ ગયા હતા. ચૂંટણીના પરિણામો જાહેર થતા વકીલોએ વિજયોત્સવ મનાવ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button