GUJARAT

Rajkotમા રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસ જાણી દંગ રહેશો

રાજકોટમાં રોગચાળો વકર્યો છે. જેમાં ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા છે. તેમજ મેલેરિયા અને ચિકન ગુનિયાના 4-4 કેસ નોંધાયા છે. જેમાં તાવ, શરદી અને ઉધરસના 1600 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય કેસ વધવાથી દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. વરસાદ બાદ રોગચાળો વકરતો રોકવામાં આરોગ્ય તંત્ર નાકામ સાબિત થયુ છે.

ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા સાથે તાવ, શરદી અને ઉધરસના 1600 કેસ

રાજકોટમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. રાજકોટમાં ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા સાથે તાવ, શરદી અને ઉધરસના 1600 કેસ આવ્યા છે. મેલેરિયા અને ચિકન ગુનિયાના 4-4 કેસ છે. વરસાદની ઋતુ બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રોગચાળાએ ભરડો લીધો છે. રોગચાળાના કારણે તાવના કેસો વધી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટ અને મેટોડાના બે દર્દીના તાવથી મોત થયા છે. રાજકોટનાં 70 વર્ષના વૃધ્ધ અને મેટોડાની એક વર્ષની બાળકીને તાવ ભરખી ગયો હતો.હાલ ચોમાસાની સીઝન બાદ રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે. રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં શરદી, તાવ, ઉધરસ અને વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

જેઠાભાઈને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોય તેમને દવા લીધી હતી

હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા જોઈને વરસાદ બાદ હવે રાજકોટ અને સૌરાષ્ટ્રને રોગચાળાએ જાણે ભરડામાં લીધું હોય તેવું દેખાઈ રહ્યું છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઈફોડના કેસો પણ વધી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓની ઉભરાઈ રહી છે ત્યારે બે દર્દીઓના તાવથી મોત થતાં તંત્ર સફાળુ જાગી ઉઠયું છે. રાજકોટના સાધુવાસવાણી રોડ પર ગુરૂજી આવાસ યોજના કવાર્ટસમાં રહેતા જેઠાભાઈ નારણભાઈ પરમારનું તાવ આવવાથી મોત થયું છે. જેઠાભાઈ નિવૃત્ત સફાઈ કર્મચારી હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે અને ચાર ભાઈ અને એક બહેનમાં બીજા નંબરના હતાં. જેઠાભાઈને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોય તેમને દવા લીધી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button