Dehradunમાં વાદળ ફાટવાથી ભયાવહ સ્થિતિ, 100 લોકો ફસાયા, 2 ગુમ

by

Thenewsdk

Updated: 16-09-2025, 07.51 AM

Follow us:

ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતનો પ્રહાર જોવા મળ્યો છે. દેહરાદૂન જિલ્લાના સહસ્ત્રધારા-કાર્લીગાડ વિસ્તારમાં સોમવાર મોડી રાત્રે (15 સપ્ટેમ્બર) વાદળ ફાટ્યું હતું. ભારે વરસાદના કારણે આ ઘટના સર્જાઈ,

જેમાં 2-3 મોટી હોટલો અને બજારમાં આવેલી 7-8 દુકાનોને ભારે નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બે લોકો હજુ સુધી ગુમ હોવાનું અહેવાલ છે.

રાહત-બચાવ કામગીરીમાં લાગી ગઈ

વાદળ ફાટવાની ઘટના રાત્રે લગભગ 11:30 વાગ્યે બની હતી, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે લગભગ 100 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને ગ્રામજનોએ પોતાની રીતે જ સુરક્ષિત જગ્યાએ ખસેડી બચાવ્યા હતા.

ઘટના બાદ તરત જ SDRF, NDRF અને જાહેર બાંધકામ વિભાગની ટીમો રાતોરાત રાહત-બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. નજીકના વિસ્તારોમાં રહેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.