આંધ્ર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ 18 લોકો મોત, 6 થી વધુ લોકો ઘાયલ

by

Thenewsdk

Updated: 28-02-2026, 03.50 PM

Follow us:

આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટલપાલેમ ગામમાં શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. ગામમાં આવેલા ‘સૂર્યા ફાયરવર્ક્સ’ નામના ફટાકડા બનાવતા એકમમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 18 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના અવાજથી આખું ગામ ધ્રૂજી ઉઠ્યું હતું અને ફટાકડા યુનિટની છત હવામાં ઉડી ગઈ હતી.

ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો.

મીડિયાને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 18 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસે ખેતરોમાં વિખરાયેલા શરીરના ભાગોને શોધવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. ઘટનાસ્થળેથી લોહીલુહાણ લાશોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ખાતરની બોરીઓમાંથી બનેલી ટોકરીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો, જે દ્રશ્યો જોઈને સૌના કાળજા કંપી ગયા હતા.

વિસ્ફોટ બાદ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મુખ્યમંત્રીએ સહાયનો આપ્યો નિર્દેશ
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી હતી. મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવા સૂચના આપી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ આપ્યો છે.

ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વિસ્ફોટના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ, ફટાકડા બનાવવા માટે વપરાતા રસાયણોમાં થયેલું ઘર્ષણ અથવા સુરક્ષાના અભાવે આ દુર્ઘટના ઘટી હોઈ શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.