બોલિવૂડ એક્ટર ગોવિંદાને ગોળી વાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મળતી માહિતી અનુસાર, અભિનેતાને રિવોલ્વર સાફ કરતાં સમયે ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સવારે બની હતી. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગી
બોલિવૂડ એક્ટર અને શિવસેના નેતા ગોવિંદાને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને તેની જ બંદૂકથી પગમાં ગોળી વાગી હતી. આ ઘટના સવારે 4.45 વાગ્યે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં અભિનેતા સવારે ક્યાંક જવા માટે તેના ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે એક મિસફાયર થયો અને તે ઘાયલ થઈ ગયો હતો. આ પછી તરત જ તેને મુંબઈમાં કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
મહત્વનું કહી શકાય કે, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે ગોવિંદાની બંદૂક જપ્ત કરી લેવામાં આવી છે અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
ગોવિંદાને કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
હાલમાં ગોવિંદાના પગમાંથી ઘણું લોહી વહી ગયું છે, જેના કારણે તેની હાલત ખરાબ હોવાનું કહેવાય છે. તેમની બગડતી હાલતને જોતા તેમને હાલમાં અંધેરીની કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Source link