ENTERTAINMENT

કોઇ પરફેક્ટ નથી..હિના ખાને શેર કરી એવી પોસ્ટ કે..ફેન્સ મૂંઝાયા

હિના ખાન હવે ફોર્મમાં પરત ફરી છે. તેનો નવો શો ગૃહ લક્ષ્મી સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. અભિનેત્રીને ફરી એકવાર પડદા પર જોઈને તેના ચાહકો ખુશ છે. વર્ષ 2024 પણ અભિનેત્રી માટે ખૂબ જ પીડાદાયક રહ્યું. હિનાને બ્રેસ્ટ કેન્સરની પીડા થઈ છે અને તે હજુ પણ આ બીમારીનો દર્દ સહન કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેને જોઈને ચાહકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ચાલો જોઈએ કે હિનાએ હવે શું લખ્યું જેનાથી સનસનાટી મચી ગઈ.

હિના ખાન કરી રહી છે કમબેક

હિના ખાને ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી પોતાની ખાસ ઓળખ બનાવી હતી. આ શો દ્વારા તે દરેક ઘરમાં એટલી ફેમસ થઈ ગઈ કે લોકો હિનાને અક્ષરા સિંહના નામથી ઓળખવા લાગ્યા. અભિનેત્રીએ બિગ બોસમાં પણ પોતાનો જાદુ બતાવ્યો હતો અને અન્ય ઘણા શોમાં પણ કામ કર્યું હતું. પરંતુ ગયા વર્ષે કેન્સર જેવી બિમારીથી પીડિત અભિનેત્રીએ પોતાની સારવારના કારણે કામમાંથી બ્રેક લીધો હતો. પણ હવે તેણે ફરી એકવાર ગૃહ લક્ષ્મીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી છે. તેનો પુરાવો તેણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપ્યો છે. જેમાં શોના પ્રોમો બતાવવામાં આવ્યો છે.

ફેન્સ મુકાયા મૂંઝવણમાં

હિના ખાન ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના ફેન્સને લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ કરતી રહે છે. ત્યારે હિનાએ ઇન્સ્ટા સ્ટોરી પર કંઈક એવુ પોસ્ટ કર્યું કે જેણે ચાહકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. તેમણે લખ્યું છે- લોકો કહે છે કે સારા લોકોને પસંદ કરો અને ખરાબ લોકોને જીવનમાંથી દૂર કરો. પણ હું કહું છું કે લોકોમાં સારું શોધો અને ખરાબને અવગણો. કારણ કે દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. હવે એ સમજવું થોડું મુશ્કેલ છે કે અભિનેત્રીએ આ કેમ અને કોના માટે લખ્યું છે.


અબુધાબીમાં નવા વર્ષની ઉજવણી

મહત્વનું છે કે 2024નું વર્ષ હિના ખાન માટે સારું રહ્યું ન હતું, પરંતુ તેણે હિંમત ન હારી અને દરેક સમસ્યાનો હિંમતપૂર્વક સામનો કર્યો. વર્ષના અંતે તેણે અબુ ધાબીમાં વિન્ટર વેકેશનની ઉજવણી કરી અને તેના ચાહકોને કહ્યું કે તે હવે ઘણી સારી છે. અભિનેત્રીએ ક્રિસમસની ઉજવણી પણ ત્યાં જ કરી હતી. તેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button