Vadodara : આજે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. નિધિ ફ્લેટની પાછળ રહેતા 33 વર્ષીય પરિણીતા ધનસાબેન હસમુખભાઈ ચુનારાએ મંદિરની બાજુમાં આવેલા વડના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. ભરચક વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક ધનસાબેનના લગ્ન વર્ષ 2011માં થયા હતા અને તેમને સંતાનમાં ચાર બાળકો છે. પશુપાલન અને ઘરકામ કરીને પરિવારને મદદરૂપ થતી આ મહિલાના અચાનક આપઘાતથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ 112 જનરક્ષક સહિત વારસિયા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસને જોતા જ પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું.
સ્થાનિકોની નજરે ઘટના
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં આવેલા નિધિ ફ્લેટ પાછળ આ બહેન રહેતા હતા. તેઓ બકરાં પાળતા હોવાથી દરરોજ પ્રાણીઓના ચારા માટે અહીં પીપળા અને વડના ઝાડની ડાળખીઓ કાપવા આવતા હતા. આજે જ્યારે મને ફોન આવ્યો કે કોઈ મહિલા અહીં ઝાડ પર લટકી ગયા છે, ત્યારે મેં આવીને જોયું અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.”


Leave a Comment