અકાસા એર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વધારાનો ફ્યુઅલ સરચાર્જ ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ટિકિટ દીઠ ₹199 થી લઈને ₹1,300 સુધીનો રહેશે. આ નવો સરચાર્જ 15 માર્ચ, 2026 થી અમલમાં આવશે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે, 15 માર્ચ કે ત્યારબાદ જે મુસાફરો ટિકિટ બુક કરાવશે, તેમને ટિકિટના મૂળ ભાવ ઉપરાંત આ વધારાનો ઇંધણ સરચાર્જ ચૂકવવો પડશે. એરલાઇને મુસાફરોને સલાહ આપી છે કે ટિકિટ બુક કરતી વખતે આ વધારાની ફીને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે.
કેમ લેવાયો આ નિર્ણય?
છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, જેની સીધી અસર જેટ ફ્યુઅલના ભાવ પર પડી છે. કોઈપણ એરલાઇનના કુલ સંચાલન ખર્ચમાં ઇંધણનો ખર્ચ સૌથી મોટો હિસ્સો ધરાવે છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ, ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે વધતા જતા સંચાલન ખર્ચના બોજને સરભર કરવા અને વ્યવસાયની સાતત્યતા જાળવવા માટે આ સરચાર્જ લાદવો અનિવાર્ય બન્યો હતો.


Leave a Comment