અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં 14મા માળેથી વ્યક્તિએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

by

Thenewsdk

Updated: 22-07-2025, 07.48 AM

Follow us:

અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ટાવર પરથી એક વ્યક્તિએ ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ ફ્લેટના 14મા માળેથી એક વ્યક્તિએ કૂદકો માર્યો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.

આ સમગ્ર મામલે બોપલ પોલીસને જાણ થતા બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

મેરીગોલ્ડ ફલેટના 14મા માળેથી કૂદકો માર્યો

સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ ફલેટના 14મા માળેથી આજે મંગળવાર (22 જુલાઈ) ના રોજ સવારે એક વ્યક્તિએ કૂદકો માર્યો હતો. નીચે પડવાનો અવાજ આવતા ફ્લેટના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.

આ મામલે બોપલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ સમગ્ર મામલાની પાછળ કયા કારણ છે તે જાણવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે. સમગ્ર મામલે પોલીસની ટીમ હાલ એપાર્ટમેન્ટમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.