બોલિવૂડમાં ઘણા સમય પછી ફરી એક વખત આમિર ખાન અને મન્સૂર ખાનની પ્રખ્યાત જોડિ સાથે આવી રહી છે. તેમની નવી ફિલ્મ ‘એક દિન’ સાથે બંને ફરી એક રોમેન્ટિક લવ સ્ટોરી રજૂ કરવા તૈયાર થયા છે. આ જોડીએ અગાઉ કયામત સે કયામત તક, જો જીતા વોહી સિકંદર, અકેલે હમ અકેલે તુમ અને જાને તુ… યા જાને ના જેવી યાદગાર ફિલ્મો આપી હતી, જેના કારણે નવી ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.
આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં સાઈ પલ્લવી અને જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન સુનીલ પાંડે કરી રહ્યા છે, જ્યારે નિર્માણમાં આમિર ખાન, મન્સૂર ખાન અને અપર્ણા પુરોહિત જોડાયા છે.
માહિતી મુજબ, ‘એક દિન’ 1 મે, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. લાંબા સમય બાદ આમિર-મન્સૂરની કમબેક જોડિ અને નવી રોમેન્ટિક કહાનીને કારણે ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં છે અને ફેન્સ તેની રાહ જોઈ રહ્યા છે.


Leave a Comment