HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

વડગામ–દાંતીવાડા માર્ગનું નવીનીકરણ પૂર્ણ: 16 ગામોને મળશે ખાડામુક્ત અને સુરક્ષિત મુસાફરીની સુવિધા

Avatar photo
Updated: 26-11-2025, 10.47 AM

Follow us:

Gujarat Rural Development : વડગામ–દાંતીવાડા વિસ્તારમાં રસ્તાઓના નવીનીકરણનું કામ પૂર્ણ થયું છે, જેમાં બંને તાલુકાના કુલ 16 ગામોને જોડતા આશરે 13 કિમી માર્ગને સંપૂર્ણ રીતે સુધારી દેવામાં આવ્યો છે.

ભારે વરસાદ અને વધેલા વાહનવ્યવહારને કારણે આ રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે નાગરિકોને દૈનિક અવરજવર દરમિયાન ઘણી તકલીફો ભોગવવી પડી રહી હતી. હવે નવા માર્ગો બનતા મુસાફરી વધુ સુગમ, સુરક્ષિત અને ઝડપી બનશે.

વડગામ તાલુકાના કાલેડા, હરસિદ્ધપુરા, નვა અને પાંડવા, તથા દાંતીવાડાના જેગોલ, ગાંગુદરા, ભાડલી અને ઝાત સહિત 16 ગામોને આ નવી સુવિધાનો સીધો લાભ મળશે.

નવીનીકરણ કામ પૂર્ણ થતા સ્થાનિક નાગરિકોએ સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે અને તેને વિસ્તારના વિકાસ માટેનું મહત્વનું પગલું ગણાવ્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.