ગૃહ મંત્રાલય (ભારત)ના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને DGP સાથે ચર્ચા કરવામાં આવી. આશરે બે કલાક ચાલેલી આ બેઠકમાં સમગ્ર દેશમાં LPGની ઉપલબ્ધતા, પુરવઠા વ્યવસ્થા અને સંભવિત અવરોધોની સમીક્ષા કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે ઘરેલું ગેસ સિલિન્ડરનો પુરવઠો કોઈપણ સ્થિતિમાં ખોરવાય નહીં.
કાળાબજારી સામે કડક કાર્યવાહી
કેન્દ્ર સરકારે રાજ્યોને નીચેના પગલાં લેવા આદેશ આપ્યા છે:
– LPG બોટલિંગ પ્લાન્ટ અને વિતરણ નેટવર્કની સુરક્ષા વધારવી
– ગેસ પરિવહન કરતા વાહનોની ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવી
– સ્થાનિક સ્તરે પુરવઠાનું રોજિંદું મોનિટરિંગ કરવું
– કાળાબજારી અથવા સંગ્રહખોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી
અફવાઓ સામે ચેતવણી
સરકારે લોકોને ગભરાટથી બચાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાની પણ સૂચના આપી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ફેક ન્યૂઝ અથવા જૂના વીડિયો દ્વારા ગભરાટ ફેલાવતા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ રાજ્યોને કહ્યું છે.
રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા સૂચના
સરકારે દેશની રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને ઘરગથ્થુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે.
હાલ:
– હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી એકમો માટે LPG વિતરણ પર અમુક નિયંત્રણ મૂકાયા છે
– હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી આવશ્યક સેવાઓને આ નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવી છે


Leave a Comment