બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાને લઈને પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. શહેરમાં આવેલી IHSEDU Agrochem Pvt. Ltd. સામે પ્રદૂષણ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
માહિતી મુજબ, આ ફેક્ટરીની આસપાસ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમાં ખાસ કરીને Government Engineering College Palanpur તથા નજીકની શાળાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોનો આરોપ છે કે ફેક્ટરીમાંથી નીકળતો કાળો ધુમાડો આસપાસના વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યો છે.
આ કારણોસર અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં ચભચભાટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દિવસ દરમિયાન પણ ફેક્ટરીમાંથી પ્રદૂષણ ફેલાતું હોવાને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.
આ મામલે પર્યાવરણ સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પૂરતું પાલન થતું નથી.
હાલમાં આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચા વધી રહી છે અને લોકો સંબંધિત અધિકારીઓ પાસે તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



Leave a Comment