દેશ-વિદેશ

વાવાઝોડું મોન્થા Andhra Pradeshના દરિયાકાંઠે અથડાયું, એકનું મોત, 2 ઘાયલ

વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થઈને ઓડિશા તરફ આગળ વધ્યું છે. વાવાઝોડાની અસર ઓડિશાના અનેક જિલ્લાઓમાં અનુભવાઈ હતી. આ વાવાઝોડાને કારણે કુલ 15 જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

જોકે, હવામાન વિભાગે માહિતી આપી છે કે વાવાઝોડું મોન્થા ધીમે ધીમે નબળું પડી રહ્યું છે અને તેની તીવ્રતા અનુમાન કરતા ઘણી ઓછી છે.

  • 1 વ્યક્તિનું મોત, 2 ઘાયલ

મોન્થા ચક્રવાતને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. કોનાસીમા જિલ્લામાં, એક વૃદ્ધ મહિલાના ઘર પર ઝાડ પડતાં ઘટનાસ્થળે જ મોત થયું છે. ભારે પવનને કારણે નારિયેળના ઝાડ ઉખડી જવાથી એક છોકરો અને એક ઓટો ડ્રાઈવર પણ ઘાયલ થયા હતા.

  • મોન્થા ક્યારે આવ્યું?

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડું સાંજે 7 વાગ્યાની આસપાસ લેન્ડફોલ કરવાનું શરૂ થયું હતું. વિભાગે જણાવ્યું હતું કે હવામાન તંત્ર કાકીનાડાની આસપાસ, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું.

આ ચક્રવાત આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના કાકીનાડા, કૃષ્ણા, એલુરુ, પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, ડૉ. બી.આર. આંબેડકર કોનાસીમા અને ચિન્તુરુ અને રામાપચોડાવરમ વિભાગોમાં સૌથી વધુ તીવ્રતાથી અનુભવાઈ રહ્યું છે.

રાજ્ય સરકારે મંગળવાર રાત્રે 8:30 વાગ્યાથી બુધવાર સવારે 6 વાગ્યા સુધી આ સાત જિલ્લાઓમાં તમામ વાહનોની અવરજવર સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button