- કંપનીએ આ માટે કોઈ જાણકારી આપી નથીઃ અશ્વિની વૈષ્ણવ
- ભારતમાં 84 ટકા મોબાઈલ યુઝર્સ વાપરે છે વોટ્સએપ
- કંપનીએ નવા IT નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી
સરકારે IT એક્ટમાં કેટલાક ફેરફારો કર્યા છે, વોટ્સએપ મેસેજિંગ એપને આ ફેરફારો સામે કેટલાક વાંધા છે, જેને લઈને WhatsAppએ કોર્ટમાં અરજી કરી છે. આ મુદ્દે કોંગ્રેસે સરકારને સવાલ પૂછ્યો કે શું વોટ્સએપ ભારતમાં તેનો બિઝનેસ બંધ કરવા જઈ રહ્યું છે? હાલમાં સોશિયલ મીડિયામાં આ પ્રશ્ન ચર્ચામાં છે. વિવિધ જગ્યાએ તેની વિવિધ વિગતો સામે આવી રહી છે. તો જાણો શું છે અશ્વની વૈષ્ણવનો જવાબ.
કંપનીએ આ માટે કોઈ જાણકારી આપી નથીઃ અશ્વિની વૈષ્ણવ
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે WhatsApp અને તેની પેરન્ટ કંપની Meta એ ભારત સરકારને દેશમાં તેમની સેવાઓ બંધ કરવાની કોઈ યોજના વિશે જાણ કરી નથી. આ જવાબ રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યના પ્રશ્નના જવાબમાં લેખિત જવાબના સ્વરૂપમાં હતો. શું WhatsApp યુઝરની વિગતો શેર કરવા અંગેના સરકારી નિર્દેશોને કારણે ભારતમાં કામગીરી બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે?
ભારતમાં 84 ટકા મોબાઈલ યુઝર્સ વાપરે છે વોટ્સએપ
ભારતમાં 84 ટકા મોબાઈલ યુઝર્સના ફોનમાં વોટ્સએપ છે, બીજા નંબર પર ફેસબુક મેસેન્જર છે. જેનો ઉપયોગ માત્ર 53 ટકા યુઝર્સ કરે છે અને ત્રીજા નંબરે ટેલિગ્રામ છે. જે 44 ટકા યુઝર્સના ફોન પર ડાઉનલોડ થાય છે. તો જાણો ભારતમાં વોટ્સએપ બંધ થશે તો લોકો પર તેની કેટલી અસર પડશે. સરકારનું કહેવું છે કે કોઈપણ મેસેજને ટ્રેસ કરવા માટે કોઈ મિકેનિઝમ હોવું જોઈએ, જ્યારે WhatsAppએ કોર્ટમાં દલીલ કરી હતી કે એનક્રિપ્શન સાથેના IT નિયમો 2021 વપરાશકર્તાઓની ગોપનીયતાને નબળી પાડે છે. સરકારની દલીલ છે કે સ્ત્રોતની ઓળખ કર્યા વગર ફેક મેસેજને રોકવામાં મુશ્કેલી પડશે, જ્યારે વોટ્સએપે કહ્યું કે દુનિયામાં બીજે ક્યાંય આવો કોઈ નિયમ નથી.
શું કહ્યું સરકારે
સરકારની દલીલ છે કે પ્લેટફોર્મ તેના વપરાશકર્તાઓ માટે જવાબદાર હોવું જોઈએ. જો કે સરકાર અને વોટ્સએપ વચ્ચે આ વિવાદ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે, પરંતુ આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ વિવેક ટંખાએ આ મુદ્દે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રશ્ન પૂછ્યો હતો. કહેવાય છે કે વોટ્સએપ કે તેની પેરેન્ટ કંપની મેટાએ ભારતમાં બંધ કરવાની કોઈ યોજના વિશે સરકારને જાણ કરી નથી. જો કે મામલો હજુ કોર્ટમાં છે. ભારત સરકાર અને વોટ્સએપ બંને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે આ મામલો કરોડો લોકો સાથે જોડાયેલો છે અને તે રોજિંદા જીવન સાથે જોડાયેલો છે.
એન્ક્રિપ્શન બ્રેકિંગને કારણે સેવા બંધ થઈ
આ પ્રશ્ન વોટ્સએપના અગાઉના નિવેદનો પછી આવ્યો છે, જેમાં કંપનીએ નવા IT નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેના વિશે કંપનીએ કહ્યું હતું કે આનાથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન તૂટી શકે છે. આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને જાણ કરી હતી કે જો તેને મેસેજ પર એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારતમાં કામ કરવાનું બંધ કરશે.
જો એન્ક્રિપ્શન તૂટી જાય તો શું થશે?
મળતી માહિતિ અનુસાર એન્ક્રિપ્શન તોડવાથી યુઝરની પ્રાઈવસી નબળી પડી જશે. વિશ્વાસ ઓછો થશે અને લાખો મેસેજ લાંબા સમય સુધી સ્ટોર કરવા પડશે. વોટ્સએપ અને મેટાએ સુધારેલા IT નિયમોને પડકાર્યા છે અને કહ્યું છે કે તેઓ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
ગોપનીયતાને લઈને અશ્વિની વૈષ્ણવે શું કહ્યું
અશ્વિની વૈષ્ણવે સંસદમાં તેના જવાબમાં જણાવ્યું હતું કે ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અને જાહેર વ્યવસ્થાની સુરક્ષા માટે સરકાર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 69A હેઠળ નિર્દેશો જારી કરે છે.
ઉલ્લેખનીય છે કે વોટ્સએપ બંધ થવાને લઈને જે ચર્ચા હાલમાં વિવિધ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે તેનો સાચો અંદાજ તો જે તે સમયે જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે જ જાણી શકાશે.
Source link