Gujarat Weather : અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી, આવનારી નવરાત્રિમાં વરસાદ વિલન બનશે?

by

Thenewsdk

Updated: 27-08-2025, 12.26 PM

Follow us:

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, વરસાદ હજુ ગયો નથી. 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતામાં રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 27-28 ઓગસ્ટે વાતાવરણમાં પલટો આવી શકે છે. જોકે, 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

નવરાત્રિમાં વરસાદ

અંબાલાલના જણાવ્યા મુજબ, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં ચારથી છ ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.

જોકે, 18 થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાના કારણે નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા છે.

આથી તહેવારી ઉજવણી દરમિયાન લોકો માટે છત્રી રાખવી પડશે, સાથે રેન કોટ પહેરીને ગરબા રમવા પડી શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.