ટૉપ ન્યૂઝદેશ-વિદેશ

Heavy rains : હિમાચલમાં વરસાદનો કહેર: ભૂસ્ખલનથી 5નાં મોત, 793 રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદે તબાહી મચાવી છે અને રેડ એલર્ટ વચ્ચે પરિસ્થિતિ ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી મોટા પાયે નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘર ભૂસ્ખલનની ઝપેટમાં આવતાં પિતા અને પુત્રીના મોત થયા, સાથે સાથે ઘરમાં બંધાયેલા પશુઓ પણ મૃત્યુ પામ્યા. મૃતકની પત્ની એ સમયે બહાર હોવાથી જીવતા બચી ગઈ. 

સિરમૌર જિલ્લામાં પણ એક મહિલા ભૂસ્ખલનમાં સપડાઈ જતા મોતને ભેટી. બીજી બાજુ, કોટખાઈના ખનેટીના ચોલ ગામમાં ભારે વરસાદ બાદ સવારે એક મકાન ધરાશાયી થવાથી કલાવતી નામની વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું. જુબ્બલના ભૌલી ગામમાં સ્વ. અમર સિંહની પત્ની આશા દેવીનું ઘર કાટમાળ નીચે દટાઈ જતાં એક યુવતીનું પણ મોત થયું. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક 30,000 રૂપિયાની રાહત ફાળવવામાં આવી છે. તહસીલદાર અને પટવારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે તથા પરિવારને નજીકના સમુદાય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે.

અનેક સ્થળોએ ભૂસ્ખલનથી રસ્તા ખંડિત થયા છે
શિમલામાં અનેક માર્ગો પર પરિસ્થિતિ ગંભીર છે. ખલીની-ઝંઝીરી રોડ તૂટી પડ્યો છે તો રામનગર વિસ્તારમાં ભૂસ્ખલનથી ખલીની-ટુટીકંડી બાયપાસ અવરોધિત થયો છે. મજીઠા હાઉસ પાસે રોડ ખસી જતાં નીચેના મકાનો જોખમમાં મુકાયા છે. કૃષ્ણનગરના લાલપાણી વિસ્તારમાં બાયપાસ પુલની બાજુએ ઝાડ ધરાશાયી થયું છે. 

મેહલી-શોઘી રોડ પર પાસપોર્ટ ઓફિસની નજીક પણ કાટમાળ પડ્યો છે. સમરહિલ અને લોઅર વિકાસનગર સહિત અનેક સ્થળોએ ભૂસ્ખલનથી રસ્તા ખંડિત થયા છે. મજ્યાઠ-નાલાગઢ રોડ પર કાટમાળ પડતાં ટ્રાફિક ઠપ થઈ ગયો છે. ચૌધરી નિવાસ લોઅર પંથઘાટી પાસે બે કાર દટાઈ ગઈ છે જ્યારે એક વિશાળ ઝાડ અસ્થિર થઈ જતાં ઈમારત પર પડવાનો ખતરો સર્જાયો છે. છોટા શિમલા-સંજૌલી રોડ અને ચમિયાણા હોસ્પિટલ તરફ જતાં માર્ગ પર પણ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 7 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે.

આજે ઉનાબિલાસપુરકાંગડાશિમલાસોલન અને સિરમૌર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર છે, જ્યારે હમીરપુરચંબા, મંડી, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિમાં ઓરેન્જ એલર્ટ છે. 2 સપ્ટેમ્બર માટે કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં ફરીથી રેડ એલર્ટ છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને શિમલાસોલનસિરમૌરબિલાસપુરકાંગડા, મંડી, ઉનાહમીરપુરકુલ્લુચંબા અને લાહૌલ-સ્પીતિની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સિરમૌરમાં 136 રસ્તાઓ અવરોધિત થયા
રાજ્યમાં સોમવાર સવારે 10 વાગ્યા સુધી ત્રણ નેશનલ હાઈવે સહિત કુલ 793 માર્ગો બંધ રહ્યા. 2,174 વીજળી ટ્રાન્સફોર્મર અને 365 પાણી પુરવઠા યોજનાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે. ચંબા જિલ્લામાં 253 માર્ગો, 269 ટ્રાન્સફોર્મર અને 76 પાણી યોજનાઓ પ્રભાવિત થઈ છે. મંડી જિલ્લામાં 265 તથા સિરમૌરમાં 136 રસ્તાઓ અવરોધિત થયા છે,

જેના કારણે લોકોને પગપાળા મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ વર્ષે મોનસૂન દરમ્યાન 20 જૂનથી 31 ઑગસ્ટ સુધી રાજ્યને કુલ ₹3,05,684.33 લાખનું નુકસાન થયું છે. આ અવધિમાં 320 લોકોના મોત, 379 ઘાયલ અને 40 ગુમ થયાની પુષ્ટિ થઈ છે. માર્ગ અકસ્માતોમાં 154 લોકોના મોત થયા છે. વાદળ ફાટવાભૂસ્ખલન અને પૂરના કારણે અત્યાર સુધીમાં 4,569 મકાનો તથા દુકાનોને નુકસાન થયું છે. 3,710 ગૌશાળાઓ પર અસર થઈ છે અને 1,885 પશુઓનાં મૃત્યુ નોંધાયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button