India ODI Captain: શુભનમ ગિલ નહીં આ ખેલાડીને વન-ડે ટીમની કમાન સોંપવાની BCCIની તૈયારી: રિપોર્ટ

by

Thenewsdk

Updated: 21-08-2025, 10.40 AM

Follow us:

એકતરફ તાજેતરમાં એશિયાકપ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બીજી તરફ આ ટીમમાં Who will be India ODI Captain શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલને સ્થાન આપવામાં આવ્યું નથી. જેના પગલે કેટલાક ક્રિકેટ નિષ્ણાતો ટીકા પણ કરી રહી છે. આ સ્થિતિ વચ્ચે બીસીસીઆઈ વન-ડે ટીમમાં રોહિત શર્મા બાદ શુભમન ગિલ નહીં પણ શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની જરૂર 

શુભમન ગિલને એશિયા કપ ટીમમાં વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારબાદ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ગિલને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવશે. પરંતુ બીસીસીઆઈના સૂત્રો પ્રમાણે સતત ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખી આ યોજના મોકૂફ રાખવામાં આવી છે.

હાલ ગિલને ટેસ્ટની કેપ્ટનશિપની સાથે સાથે ટી-20 ટીમમાં વાઈસ કેપ્ટનની બનાવવામાં આવ્યો છે. પરિણામે બીસીસીઆઈએ હવે વન-ડે ટીમની કમાન અન્ય કોઈ ખેલાડીને સોંપવાનું મન બનાવી લીધું છે.

રોહિત-કોહલી ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વન-ડે સિરીઝ રમી શકે છે

રોહિત શર્મા 2027નો વર્લ્ડકપ રમાવા માગે છે પરંતુ એક રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વન-ડે સિરીઝ રોહિત અને કોહલી બંને માટે આખરી હોઈ શકે છે. બંને ખેલાડી ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

અય્યર છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ઐયરનું વન-ડેમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે. શ્રેયસે ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચ મેચમાં 15, 56, 79, 45 અને 48 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે અત્યાર સુધી 70 વન-ડેમાં કુલ 2845 રન બનાવ્યા છે અને 5 સદી ફટકારી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.