લગ્ન પ્રસંગે બહાર ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોરી: જુનાડીસા ગામમાં 4.50 લાખનો મુદ્દામાલ પાર

by

Thenewsdk

Updated: 02-12-2025, 06.49 AM

Follow us:

ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ચોરીની ગંભીર બનાવટ સામે આવી છે. ગામના નરસિંહભાઈ પ્રજાપતિના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી બધા સભ્યો ઘરે હાજર ન હતા. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનનો તાળો તોડી ચોરી અંજામ આપી હતી.

મંગળવારે સવારે પાડોશીઓએ મકાનનો તૂટેલો તાળો જોઈ માલિકને ઘટનાની જાણ કરી હતી. નરસિંહભાઈ તાત્કાલિક ઘરે પહોંચ્યા અને તપાસ કરતાં આશરે રૂ. 3.50 લાખ રોકડ તથા લગભગ રૂ. 1 લાખના સોના–ચાંદીના દાગીના મળી કુલ રૂ. 4.50 લાખનો મુદ્દામાલ ચોરી ગયો હોવાનું સામે આવ્યું.

ઘટનાથી સમગ્ર ગામમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ઘટના વિશે જાણ થતાં પોલીસે રાત્રિસમયે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ સહિત તમામ એંગલથી તપાસ ચાલુ છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.